________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પોષ વદ ૯, શુક્ર ૯-૧-૫૩
પ્ર. -૩૪
આ સાધ્ય-સાધકના બોલની વાત ચાલે છે. સંસારના અશુભ ભાવ ઘટાડી, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ કરે છે તે સાધક છે ને મનની સ્થિરતા સાધ્ય છે. જેમની જ્ઞાતા-દ્રષ્ટા શક્તિ પૂર્ણ પ્રગટ થઈ ગઈ છે, અનંતા ગુણો પ્રગટ થઈ ગયા છે. એવા સર્વજ્ઞ દેવને ઓળખી, તેમની પૂજા ને ભક્તિ કરવી; બૈરાં-છોકરાં ઉપરના પ્રેમ કરતાં વિશેષ પ્રેમ સર્વજ્ઞ પ્રત્યે હોય જ. સર્વજ્ઞના માર્ગની પ્રભાવના થાય તેવો ભાવ કરે છે, સર્વજ્ઞ એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકના જ્ઞાતા છે. સર્વજ્ઞ દેવથી વિરુદ્ધ માર્ગ કહેતા હોય તેને પુષ્ટિ આપે નહિ, તે ભક્તિ છે. સર્વજ્ઞ પ્રત્યે પરમ ઉત્સાહુ આવે છે. પોતાને અલ્પ કાળમાં સર્વજ્ઞ થવું છે, માટે ભગવાન પ્રત્યે પરમ ઉત્સાહુ આવે છે. ઘેર દીકરો આવે ને પૈસાની પેદાશ થાય, તેમાં ધર્મીને એવો ઉત્સાહું નહોય. સર્વાના ગુણ ગ્રામમાં મન, વાણી ને કાયાને જોડે, સંસાર ખાતે લક્ષ્મી વાપરતો હોય તેના કરતાં વિશેષ દેવની પૂજા વગેરેમાં વાપરે ને સર્વજ્ઞ દેવનો વિરોધ થતો હોય તેને ટાળવા માટે પણ લક્ષ્મી વાપરે-આનું નામ સાધકપણું છે.
વળી સર્વજ્ઞ દેવને તે પોતાના પ્રાણથી વલ્લભ જાણે. ઈન્દ્રિયો ભલે જાય, આયુ ભલે જાય, મન-વચન-કાયા છૂટી જાય, છતાં સર્વજ્ઞ પ્રત્યે એવો પ્રેમ હોય કે પ્રાણની દરકાર ન કરે. સર્વજ્ઞ ભગવાનને અનંત સુખના નિમિત્તકારણ જાણે. મારા સુખનું કારણ તો મારી પાસે છે, પણ તેમાં નિમિત્તકારણ ભગવાન છે. તેથી તેને માટે મન-વચનકાયા લગાવે.
ભાવદીપિકામાં લખ્યું છે કે ધર્મ માટે ધનનો લોભ કરે, દેવગુરુ-શાસ્ત્ર માટે સંકોચ કરે તો અનંતાનુબંધીનો લોભ છે. વીતરાગ ન થાય ત્યાં સુધી સાધકને સર્વજ્ઞ પ્રત્યે પ્રેમ આવે છે. સર્વજ્ઞ દેવ કે તેમની પ્રતિમા સુખ આપે છે કે શુભભાવ કરાવે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com