________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૩]
[૨૦૫ કરી છે. વળી ધર્મી જીવ બાહ્ય પ્રભાવના કરે છે. દેવની પ્રભાવના કેમ થાય તેવો વિકલ્પ ધર્માત્માને આવ્યા વિના રહેતો નથી. દેવનું સ્વરૂપ આવું હોય તેમ વિચાર ને ભક્તિ અંતરંગ ધ્યાન છે. વળી ધર્મી જીવ સર્વજ્ઞના ગુણનું વર્ણન કરે છે. અહો ! પરમાત્મા શક્તિરૂપે હતા તે પરિપૂર્ણ પ્રગટ થઈ ગયા છે. કોઈ બીજો સર્વજ્ઞથી વિરુદ્ધ કહેતો હોય તેને માને, મનાવે કે સંમત થાય-એમ બને નહિ. એવી અવજ્ઞાનો ભાવ દેવભક્તિવાળાને હોય નહિ. વળી ધર્મીને દેવ પ્રત્યે પરમ ઉત્સાહ આવે.
અહો ! અનંત કાળથી આવા દેવને મેં જાણ્યા ન હતા, હવે જાણ્યા એમ વિચારી તેમના પ્રત્યે પરમ ઉત્સાહ લાવે, વાણી તથા કાયાને તે તરફ જોડે એટલે કે મન-વચન-કાયાના નિમિત્તે થતો ભાવ દેવ તરફ લગાવે-લક્ષ્મીને પણ તેમાં લગાવે. જેમ સંસારમાં છોકરાનાં લગ્ન માટે ખૂબ ખર્ચા કરે છે તેમ અહીં કહે છે કે ધર્મી ને દેવ પ્રત્યે પ્રીતિ એવી છે કે દેવ-ગુરુ-ધર્મ અને શાસ્ત્ર માટે લક્ષ્મી વાપરે. આવા જીવની ભક્તિ સાધક છે ને વિષયાદિથી ઉદાસીનતા સાધ્ય છે.
oOO O.
O)00000 () 000000
OOOO OT
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
jesh@Atmadharma.com