________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૨]
[ શ્રી અનુભવ પ્રકાશ છે. ત્યારે વ્યવહાર નામ લાગુ પડે છે, પણ પ્રથમ યથાર્થ વિચાર આવે છે, સાત તત્ત્વોના હેય ઉપાદેયપણાની વિચારશ્રેણી ચાલે છે. વિચારનો વ્યય થઈને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર દશાનો ઉત્પાદ થાય છે, માટે વ્યવહારને પ્રથમ કહ્યો છે.
શ્રી સમયસારમાં કહેલ છે કે વ્યવહાર ને નિશ્ચય આગળ-પાછળ નથી, બન્ને સાથે છે. શ્રી આત્મસિદ્ધિમાં પણ કહ્યું છે કે
નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ,
એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. તેમાં પણ નિશ્ચય ને વ્યવહાર સાથે કહ્યા છે. તો પછી અહીં વ્યવહારને પ્રથમ કેમ કહ્યો? તો કે પૂર્વ પર્યાયમાં આવો વિકલ્પ હોય છે તે બતાવવા પ્રથમ કહેલ છે. આવો વ્યવહાર હોય છે. તે સિદ્ધ કરવું છે, પણ તે વ્યવહારથી નિશ્ચય પ્રગટે છે એમ કહેવું નથી. અભેદદ્રવ્યના આશ્રય સ્વભાવ પ્રગટે છે પણ નિજતત્ત્વ ઉપાદેય ને સાતતત્ત્વ હેય છે. એવો વિચાર પૂર્વ પર્યાયમાં આવ્યો ને તે વિચાર છૂટીને નિશ્ચય પરિણતિ થઈ છે માટે વ્યવહાર સાધક છે ને નિશ્ચય સાધ્ય છે.
અજીવને અજીવ સિદ્ધ કર્યું કયારે કહેવાય? કે કર્મ કર્મથી પરિણમે છે પણ જીવના રાગથી નહિ એમ માને તો. વળી આસ્રવથી અજીવ પરિણમે નહિ, અજીવથી બીજ અજીવ પરિણમે નહિ એમ સમજવું જોઈએ. એક બીજાને લીધે ક્રિયા માને તેનો વ્યવહાર પણ સાચો નથી. અનંતા આત્મા કહેતાં એક આત્મા બીજાને લીધે નથી. એક પરમાણુને લીધે બીજા પરમાણુ નથી. હું અખંડાનંદ પ્રભુ છું. એવો સમ્યભાવ પૂર્વ પર્યાયમાં હતો, તે વ્યય થાય છે. માટે તેને સાધક કહ્યો ને વીતરાગી પર્યાય થઈ તેને સાધ્ય કહી. બન્ને પર્યાય છે. પ્રથમ આવો વ્યવહાર વિચાર ન હોય તેને અનુભવ પ્રકાશ થાય નહિ માટે વ્યવહાર રત્નત્રયને સાધક, નિમિત્ત અથવા વ્યવહાર કારણ કહીએ છીએ ને નિશ્ચય રત્નત્રયને સાધ્ય કહીએ છીએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com