________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૨૩]
[૨૦૧ પ્રતીતિ આવી. આ સાધ્ય છે, આ ફળ છે. ફળ કહ્યું માટે વ્યવહારથી થયું છે–એમ નથી. વ્યવહારનો અભાવ થઈ નિશ્ચય પ્રગટે છે. થોડું જ્ઞાન પ્રગટયું એટલે આખો આત્મા-કેવળજ્ઞાનનો દરિયો ખ્યાલમાં આવ્યો.
અહીં શ્રદ્ધા, જ્ઞાન ને રમણતાની વાત ક્રમસર કહે છે, પણ ત્રણે એકી સાથે છે. વ્યવહારની રીત છોડી માત્ર જ્ઞાન દ્વારા પોતાના સ્વરૂપને બરાબર જાણ્યું. થોડા જ્ઞાનમાં ઘણા જ્ઞાનની પ્રતીતિ આવી. લોકાલોક છે તેના કરતાં અનંત ગુણો હોત તો પણ હું જાણી શકું એવી જ્ઞાનની શક્તિ જાણી.
દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો ” આમ નિશ્ચય કરી પોતાનું સ્વરૂપ જાણ્યું. આનું નામ અનુભવ પ્રકાશ છે.
હવે આચરણની વાત કરે છે. વિકલ્પનો અભાવ થઈ સ્વરૂપ આચરણ પ્રગટે છે. નિશ્ચયથી સ્વરૂપ જાણ્યું. તેવી રીતે સમ્યકજ્ઞાનની પરિણતિથી આચરણ થવું તે સ્વરૂપાચરણ છે.
પોતાના ત્રિકાળી પરમાત્માનાં શ્રદ્ધા જ્ઞાન કરી કેટલીક દર્શનજ્ઞાનશક્તિ શુદ્ધ થઈ છે, તેવી જ સ્થિરતા થઈ તેને નિશ્ચય રત્નત્રય કહે છે. સાત તને જેમ છે તેમ માને તો વ્યવહાર સાચો છે ને તેનો અભાવ થઈ અંતરદશા પ્રગટે તે નિશ્ચય છે.
સિદ્ધના અને મારા સ્વભાવમાં ફેર નથી. સિદ્ધ પણ જાણે-ખે ને હું પણ જાણું-દેખું, નિશ્ચયથી હું પરમાત્મા છું, એમ આત્માની અવસ્થા તેવી જ નિશ્ચયરૂપ પરિણમે છે.
“આ નિશ્ચય રત્નત્રય, પ્રથમ વ્યવહાર રત્નત્રય થતાં સાધ્ય છે માટે વ્યવહાર રત્નત્રય સાધક ને નિશ્ચય રત્નત્રય સાધ્ય છે. અહીં વ્યવહાર માટે “પ્રથમ ' શબ્દ મૂકેલ છે, તેનું કારણ એ છે કે સાત તત્ત્વોનો હેય-ઉપાદેય વિચાર ચાલે છે. તેને હેય સમજી તેનો અભાવ થઈ નિશ્ચય પર્યાય પ્રગટે છે. માટે વ્યવહારને પ્રથમ કહેલ છે. ખરેખર તો દ્રવ્યના આશ્રયે નિર્મળ પર્યાય પ્રગટ થાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com