________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પોષ વદ ૮, ગુરુ ૮-૧-૫૩
પ્ર. -૩૩
(૩) આ ત્રીજા બોલની વાત ચાલે છે. શુદ્ધોપયોગ સાધક ને પરમાત્મા થવું તે સાધ્ય છે. આત્મા અનંત ગુણોનો પિંડ છે, તેની પર્યાયમાં રાગરહિત શુદ્ધ ઉપયોગ દશા થાય તે સાધક છે. તે શુદ્ધત્વ સર્વદશને સાધે છે એટલે પરમાત્મદશાને સાધે છે. જ્ઞાનનું સંવેદન કરતો આત્મા પોતાની પૂર્ણરૂપ દશાને સાધે છે. રાગ ને મન વિનાનો આત્મા મારું ધામ છે, એનો જે નિર્ણય કર્યો હતો તે શુદ્ધ ઉપયોગ પરમાત્માને સાધે છે. સ્વભાવસભુખ રમણતારૂપી દશા સાધન છે ને પરમાત્મદશા સાધ્ય છે.
(૪) વ્યવહારરત્નત્રયનું સાધન છે ને નિશ્ચયરત્નત્રય સાધ્ય છે. ખરેખર નિશ્ચયરત્નત્રયનું સાધન તો દ્રવ્ય છે. દ્રવ્યના આશ્રયે જ સમ્યકશ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્ર પ્રગટે છે. તે ફળ પ્રગટતા પહેલાં પૂર્વ પર્યાયનો વ્યવહાર બતાવી વ્યવહારને અહીં સાધન કહ્યું છે. કેવી રીતે? વ્યવહારરત્નત્રયમાં સાત તત્ત્વની શ્રદ્ધા આવી જાય છે. અખંડ જ્ઞાનમૂર્તિ છે તેની પ્રતીતિ, જ્ઞાન ને રમણતા સાધ્ય છે. અહીં પર્યાયને સાધ્ય બતાવવી છે. વ્યવહારથી ખસીને નિર્વિકલ્પમાં આવવું છે માટે વ્યવહારને સાધન કહેલ છે ને નિશ્ચયપરિણતિને સાધ્ય કહેલ છે. સાત તત્ત્વ હેય છે ને નિજતત્વ ઉપાદેય છે, એવો વિકલ્પ તે વ્યવહાર છે. તત્ત્વશ્રદ્ધાનમાં સાતનાં પડખાં પડે છે તે હેય છે. અખંડ ચૈતન્યતત્ત્વ ઉપાદેય છે. અહીં હેય-ઉપાદેય તત્ત્વોની વિચારશ્રેણી ચાલે છે. તેને વ્યવહાર કહેલ છે. તે વિકલ્પનો અભાવ થઈ નિશ્ચય પ્રગટે છે, માટે વ્યવહારને સાધન કહેલ છે.
વળી વિચારશ્રેણી ચાલે છે કે જેનાથી ચોરાશીના ભવ પ્રાપ્ત થાય તેને છોડું ને આત્મામાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com