________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૮]
[ શ્રી અનુભવ પ્રકાશ વાત ન આવે, શુદ્ધ-અશુદ્ધ ઉપયોગની વાત ચારિત્રના અર્થમાંઆચરણમાં આવે છે. દયા-દાનાદિના શુભરાગને અશુદ્ધ ઉપયોગ કહે છે ને રાગરહિત પરિણામ થાય તેને શુદ્ધ ઉપયોગ કહે છે. શુદ્ધ ઉપયોગની પ્રધાનતા ચારિત્રમાં જાય છે. જ્ઞાન-દર્શન સાધક છે તેથી સર્વ શુદ્ધ નથી. ચારિત્રના શુદ્ધ ઉપયોગની અં? શરૂઆત ચોથે થાય છે ને પૂર્ણતા બારમે થાય છે. જ્ઞાનદર્શન તો શુદ્ધ જ છે, પણ નીચે ચોથા ગુણસ્થાને શુદ્ધ ચિદાનંદનો અનુભવ થતાં અનંતાનુબંધીનો અભાવ થતાં કેટલાક અંશે શુદ્ધતા છે ને બાકી અશુદ્ધતા છે. પાંચમે અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનનો અભાવ થતાં ચોથાથી વિશેષ શુદ્ધતા છે ને બાકી અશુદ્ધતા છે. મુનિઓને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની ને પ્રત્યાખ્યાન કષાયનો અભાવ થતાં શુદ્ધતા વધી છે ને અંશે અશુદ્ધતા બાકી છે. બારમા ગુણસ્થાને ઉપયોગ પૂર્ણ શુદ્ધ છે, ત્યાં અશુદ્ધતા નથી.
ચારિત્રની શુદ્ધતા અંશે ચોથાથી શરૂ થઈને બારમા ગુણસ્થાને પૂર્ણ થાય છે. તે તેરમા ચૌદમાં ગુણસ્થાને પરમયથાખ્યાતચારિત્ર નામ પામે છે. હવે જ્ઞાન-દર્શનની વાત કરે છે. નીચલી દશામાં કેટલીક જ્ઞાનશક્તિ શુદ્ધ થઈ છે. શુદ્ધતાની અપેક્ષાએ શુદ્ધ છે પણ પૂર્ણ જ્ઞાનદર્શન ઉઘડયાં નથી તેથી કેટલીક શુદ્ધ કહી છે. મારામાં કેવળજ્ઞાન અનાદિ અનંદ ગુમ પડ્યું છે તેની પ્રતીતિ કરી છે, કેવળજ્ઞાન પ્રગટશે એવું જ્ઞાનવડ નક્કી કર્યું છે, તે શક્તિને પ્રતીતિમાં લીધી છે ને એકાગ્ર થતાં કેવળજ્ઞાન થશે, માટે શુદ્ધોપયોગ સાધક છે ને કેવળજ્ઞાન અથવા પરમાત્મદશા તેનું ફળ છે.-સાધ્ય છે. કેવળજ્ઞાન અંતરમાં પડયું છે, તેમાંથી પ્રગટ થાય છે. તે નિમિત્તમાંથી, રાગમાંથી કે વર્ષભનારાચ સહુનનમાંથી આવતું નથી. આવી પ્રતીતિ, રુચિ ને શ્રદ્ધાભાવ કરી નિશ્ચય કર્યો, તેને લીધે શક્તિની વ્યક્તિ થઈ જાય છે.
આમ શુદ્ધોપયોગ સાધક ને પરમાત્મા સાધ્ય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com