________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬]
[ શ્રી અનુભવ પ્રકાશ જગતમાં અનંતા આત્મા છે. આત્મામાં આવા અનંતાગુણો છે. એક ગુણને બીજા ગુણની સહાય નહિ છતાં આત્મા અખંડ અભેદ છે. જીવે પોતાનું પરમેશ્વરપદ સમ્યભાવ વર્ડ નક્કી કર્યું નથી, માટે અહીં બતાવે છે કે સમ્યભાવ સાધક છે ને પોતાના દ્રવ્યસ્વભાવની જાતિ સાધ્ય છે. વિકાર ને અવિકારપણું પર્યાયમાં છે, દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે એમ દ્રવ્યની જાતિ નક્કી કરવી. અનંતા જીવોથી ને અનંતા પરમાણુથી મારું આત્મદ્રવ્ય જાતિએ ભિન્ન છે. મારું દ્રવ્ય શુદ્ધ સ્વભાવવાળું છે ને અનાદિ અનંત એકરૂપ છે. આમ સ્વભાવથી નક્કી કરવું. અનંતા ગુણોમાંથી એક ગુણ ન કબૂલે અથવા દ્રવ્યનું અભેદપણું ન સ્વીકારે તો તે સાધક થઈ શકશે નહિ. આત્માના ત્રણ સ્વભાવ છે. (૧) ગુણસ્વભાવ, (૨) દ્રવ્યસ્વભાવ, (૩) પર્યાયસ્વભાવ. એમાં કોઈ ઓછું વતું થાય તેમ બને નહિ. આ પ્રમાણે સમ્યફભાવ સાધક છે ને દ્રવ્યનો જાતિસ્વભાવ સિદ્ધ થવો સાધ્ય છે.
(5) હવે પર્યાયની જાતિ સિદ્ધ કરે છે. પર્યાય એક સમયનો છે, આત્મા કાયમી દ્રવ્યરૂપે રહીને વર્તમાનમાં અવસ્થારૂપ થાય છે. જે કાંઈ પરિણમન સ્વભાવ છે તેવી પર્યાય તેને લીધે પરિણમે છે. કોઈ કહે કે આ વખતની આવી પર્યાય કેમ ? તે પ્રશ્ન રહેતો નથી.
આ વાકયમાં “જેવો કાંઈ” શબ્દ મૂકેલ છે. કોઈ કહે કે સમ્યગ્દર્શન પ્રગટ થયું પણ કેવળજ્ઞાન કેમ થતું નથી ? કર્મના કારણે બાકી હશે? ના. તે સમયની યોગ્યતાથી તે તે જાતનો પર્યાયધર્મ છે. એક સમયના પર્યાયમાં બધી પર્યાય આવી જાય છે? ના, પર્યાયધર્મની જાતિ સિદ્ધ કરવી છે. પર્યાય એક પછી એક એમ થાય છે. પર્યાય સ્વકાળની વર્તના છે, તે વર્તનાના કાળે પરિણમે એવો પર્યાયનો સ્વભાવ છે. સમ્યજ્ઞાન થવા છતાં કેવળજ્ઞાન કેમ થતું નથી ? સમ્યગ્દર્શન થવા છતાં ચારિત્ર કેમ થતું નથી ? એવો પ્રશ્ન કરનાર પર્યાય ધર્મને સમજ્યો નથી. જે સમયે જે પર્યાયનો જે ધર્મ છે તે તે સમયનો છે, આડોઅવળો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com