________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૧]
[ ૧૮૭ બને નહિ. ગમે તે લિંગે કેવળજ્ઞાન થાય તેમ બને નહિ. આમ અંતર વીતરાગતા ને બાહ્ય નગ઼પણું પાંચમહાવ્રતાદિ હોય તેને મુક્તિ થાય છે.
(૧૭) જ્યાં ચિત્તનો સંગ સર્વથા છૂટી જાય તેને સ્વભાવની પૂર્ણતા પ્રાપ્ત થયા વિના રહેતી નથી. મનના સંગના વિલયથી પરમાત્મા સાધ્ય છે. અંતર્જલ્પ-વિકલ્પનું છૂટી જવું તે સાધક દશા છે ને પરમાત્મદશા સાધ્ય છે.
(૧૮) જ્યાંસુધી જીવમાં વિકાર થાય છે, ત્યાંસુધી પુદ્દગલકર્મ નિમિત્ત છે ને તે કર્મો ખરે છે ત્યારે જીવમાં વિકારની લાયકાત હોતી નથી. કર્મનું નિમિત્ત નથી ત્યારે જીવમાં વિકાર થવાની લાયકાતરૂપ નૈમિત્તિક દશા હોતી નથી. આમ હોવાથી કર્મ ખરવાં તે સાધક ને વિકારનો નાશ થવો તે સાધ્ય છે.
(૧૯) એક વસ્ત્રનો તાણો પણ રાખવાનો ભાવ છે ત્યાંસુધી મુનિપણાનો ભાવ આવી શકે નહિ, મુનિપણું આવે ને વસ્ત્ર રાખવાનો ભાવ આવે એમ બને નહિ. મોરપીંછ, કમંડળ લેવાનો ભાવ ઉઠે છે તે પણ રાગ છે. જેટલી વૃત્તિ ઊઠી એટલો મમતા ભાવ છે. ત્યાં રાગ છે એમ સિદ્ધ થાય છે. જેને બિલકુલ રાગ નથી તેને બાહ્ય પરિગ્રહનું નિમિત્ત રહે તેમ બને નહિ. એક પરમાણુ લેવાની વૃત્તિ ઊઠે અથવા આહાર લેવાની વૃત્તિ ઊઠે ત્યાં મમતા રહેલ છે. કેવળીને વીતરાગતા છે તેથી તેમને આહાર લેવાની વૃત્તિ થતી નથી; માટે પરિગ્રહ સાધક છે ને મમતાભાવ સાધ્ય છે.
(૨૦) આત્માની ને તત્ત્વોની વિપરીત દષ્ટિ તે સાધક છે, રાગ તે સાધ્ય છે. રાગ તે રાગ છે, સ્વભાવ તે સ્વભાવ છે, નિમિત્ત તે નિમિત્ત છે. એમ સ્વતંત્ર તત્ત્વોની રુચિ કરતો નથી ને પુણ્યથી ધર્મ માને તે મિથ્યાદષ્ટિ છે, તેનું ફળ સંસારમાં રખડવું છે.
(૨૧) જ્યાં સમ્યક્ દષ્ટિ થવી સાધક છે ત્યાં મોક્ષપદ સાધ્ય છે. વિપરીત અભિનિવેશરહિત સાચાં તત્ત્વોની પ્રતીતિ થવી તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com