________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪]
| [ શ્રી અનુભવ પ્રકાશ મનમાં, શુભ વિકલ્પ થવો તે ધ્યેય છે.
(૮) સર્વજ્ઞદેવ, ગુરુ ને શાસ્ત્ર શું કહે છે તેનો વિકલ્પ કરવો તે શુભોપયોગ છે. તેની દષ્ટિ તો જ્ઞાયકસ્વભાવ ઉપર છે, પણ અમુક સ્થિરતા છે અને વિશેષ સ્થિરતા કરીને મોક્ષ પામશે, માટે મોક્ષ સાધ્ય છે. સાધકને અશુભરાગ મટી ગયો છે તે પૂર્ણ શુદ્ધતા થઈ નથી, દષ્ટિમાં શુભ-અશુભનો આદર નથી, અશુભ છૂટી ગયેલ છે, પણ શુભ વિકલ્પ હોય છે ત્યારે મોક્ષને પ્રાપ્ત કરું એવો વિચાર કરે છે તેથી મોક્ષ પરંપરા સાધ્ય છે.
જેણે દ્રવ્યસ્વભાવને લક્ષમાં લીધો છે, અશુભનો અભાવ થયો છે ને શુભમાં આવો વિચાર વર્તે છે તે શુભનો અભાવ કરી મોક્ષ કરશે, માટે શુભોપયોગને મોક્ષની પરંપરા સાધક કહ્યો છે.
(૯) અંતરાત્મારૂપ જીવદ્રવ્ય સાધક છે, ત્યાં અભેદ પોતે જ પૂર્ણરૂપ થાય તે ધ્યેય છે. અહીં પર્યાયને દ્રવ્ય સાથે અભેદ કહીને વાત લીધી છે. આત્માનાં શ્રદ્ધા-જ્ઞાનપૂર્વક સાધક જીવની વાત છે. પૂર્વપરિણામયુક્ત દ્રવ્ય તે કારણ છે ને ઉત્તરપરિણામ-યુક્ત દ્રવ્ય તે કાર્ય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જીવદ્રવ્ય સાધક છે ને આખો આત્મા પૂર્ણ એકાકાર થઈ જવો તે ધ્યેય છે. અંતરાત્મારૂપ જીવદ્રવ્યનું ધ્યેય પૂર્ણરૂપે પરિણમવાનું છે. ચક્રવર્તી થાઉં, તીર્થંકર થાઉં, દેવ થાઉં એ નથી. અંતરાત્માને વિકલ્પ આવે પણ તે વિકલ્પ ધ્યેય નથી. હું ચિદાનંદ છું, મન-વાણી-દેહ, પુણ્ય-પાપ હું નથી. એવી પ્રતીતિ થઈ ગયેલ જીવને પૂર્ણ પરમાત્મા રૂપે થવું તે સાધ્ય છે. પાંચ મહાવ્રતના પરિણામ કરવાનું ધ્યેય નથી. વ્રતના પરિણામ હોય છે પણ તે અંતરાત્માનું ધ્યેય નથી. સાધકને શુભપરિણામ તે તે કાળે આવે છે પણ તેનું ધ્યેય પોતે પરમાત્મા થાય તે ઉપર છે.
(૧૦) આત્માના, જ્ઞાન દર્શનાદિ ગુણો છે. તેવા વીતરાગી અંશો પ્રગટે છે તે મોક્ષમાર્ગ સાધક છે. નવમા બોલમાં પર્યાયસહિત દ્રવ્ય લીધેલ છે. અહીં ગુણથી વાત લીધી છે. તે મોક્ષમાર્ગ સાધક છે ને મોક્ષ સાધ્ય છે. ધ્યેય તો આત્મા છે તેના આશ્રયે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com