________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૨૯]
[ ૧૭૯ હું મારા સ્વરૂપને એકને જ અનુભવું છું. તે જ ધર્મ છે. આ ધાર્મિક ક્રિયા છે.
સમ્યજ્ઞાની વિચારે છે કે સંસાર એક સમયનો છે પણ સ્વભાવમાં તે નથી. સ્વભાવની રુચિ કરવી તે ધર્મ છે. અજ્ઞાની જીવો બહારના પદાર્થોને છોડવાનું કહે છે. પર પદાર્થનાં ગ્રહણત્યાગ આત્મામાં નથી. શુદ્ધ ચિદાનંદ છું –એવું ભાન થવું તે નિશ્ચય છે, તેવા જીવને શુભરાગ હોય તે વ્યવહાર છે.
ગ્રંથકર્તા શ્રી દીપચંદજી મુનિઓની વાણી અનુસાર કહે છે કે હું પુણ્ય-પાપની વૃત્તિ ઉપર આરૂઢ હતો તે મિથ્યાદર્શન હતું; હવે શુદ્ધ સ્વભાવમાં આરૂઢ થયો તે ધર્મ છે. સ્વરૂપગૃહમાં એટલે જ્ઞાનાનંદ શુદ્ધ ચેતનારૂપી ઘરમાં વસવું તે વાસ્તુ છે. ધર્મી જીવની દષ્ટિ શુદ્ધ ચેતનાના સ્વભાવ ઉપર છે. પુણ્ય-પાપના પરિણામનો દેખનારો છું-તમાશગીર છું, હું જ્ઞાતા છું, પર્યાયમાં થતા પુણ્ય-પાપનો પણ જાણનાર છું, શરીરાદિ પરની ક્રિયાનો જાણનાર છું. હું હવે મારા પોતાના જ્ઞાન-દર્શન સ્વરૂપને જાણું દેખું , એવા વિચાર પણ વિકલ્પ છે. તે વિકલ્પ તૂટીને સ્વભાવમાં લીનતા થતાં જ્ઞાનનો પ્રત્યક્ષ રસ વેદવો તે અનુભવ છે. રાગ છે તે જ્ઞાનનો અનુભવ નથી પણ વિકારનો છે. પ્રથમ આવો આત્મા શુદ્ધ જ્ઞાયક છે એવો વિચાર પ્રતીતિરૂપ સાધક છે, તે નિમિત્ત છે. તે નિમિત્ત ક્યારે કહેવાય? સ્વભાવનો અનુભવ કરે તો તેને નિમિત્ત કહેવાય. સ્વભાવના વિચારની પ્રતીતિ તે સાધક છે ને અનુભવ સાધ્ય છે. વિકલ્પથી અનુભવ થયો-એમ કહેવું તે વ્યવહાર છે, નિશ્ચય પોતામાં પ્રગટ કરે તો વિકલ્પને સાધક કહેવાય.
આમ સાધક-સાધ્ય ભેદ જાણે તો વસ્તુની સિદ્ધિ થાય.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com