SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮] [ શ્રી અનુભવ પ્રકાશ સ્વાશ્રિત તે નિશ્ચય, પરાશ્રિત તે વ્યવહાર છે; તેમાં વિવેક નથી તે અજ્ઞાની છે. અજ્ઞાની જીવો વ્યવહારથી ધર્મ માને છે ને નિશ્ચય માનવાથી એકાંત થશે તેમ કહે છે. વળી દેવની પૂજાથી સમકિત થાય, શાસ્ત્રથી જ્ઞાન થાય ને ગુરુની ભક્તિથી ચારિત્ર થાય-એમ અજ્ઞાની જીવો માને છે પણ એ બધો અજ્ઞાનભાવ છે. આત્માની પ્રતીતિ પૂર્વક સ્થિરતા કરે તો ચારિત્ર થાય, ગુરુ ચારિત્ર આપી દેતા નથી; ગુરુ પ્રત્યે રાગ આવે પણ તેથી ચારિત્ર થતું નથી. શાસ્ત્ર તરફનો શુભરાગ આવે પણ શુભરાગથી જ્ઞાન થતું નથી. વળી કોઈ કહે કે સાધકદશામાં દેવ, ગુરુ ને શાસ્ત્ર પ્રત્યે શુભરાગ આવતો જ નથી તો તે પણ ખોટો છે. છતાં તે શુભરાગ આવે માટે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટે એમ પણ નથી. શુદ્ધ સ્વભાવ તરફની એકાગ્રતારૂપ અજમાયશ કરે તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય તેમ છે. અનાદિથી પરાશ્રયની રુચિના કારણે પુણ્ય-પાપ વગેરે ભાવો પર્યાયમાં છે, તે છૂટતાં સુખ થાય તેમ છે, પણ અજ્ઞાની વિકારીભાવમાં સુખ માની રહ્યો છે. ભગવાન આત્મા નિરુપાધિ સ્વભાવ છે ને તેની પર્યાયમાં દોષ અથવા ઉપાધિ છે, તે બેની એકપણાની સંધિ છે, તેમાં પ્રજ્ઞાછીણી નાખવી એ જ દુઃખ નાશ કરવાનો ઉપાય છે. પ્રજ્ઞાછીણી એટલે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર દશા પ્રગટ કરવી એ જ સુખ પ્રગટ કરવાનો ઉપાય છે. તે ઉપાયને કહેનારા સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર છે. તે કહે છે કે સ્વભાવ ને વિભાવની સાથે એકત્વસંધાન થયું છે તે તોડીને પર્યાયને સ્વભાવ તરફ વાળવી. શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ કહ્યું છે : જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ, તે કારણ છેદક દશા, મોક્ષ પંથ ભવ અંત.” બંધના કારણોને છેદવા એ જ મોક્ષનો પંથ છે. ચેતનાના અંશને પોતાનો જાણે કે જેમાં જડ પદાર્થો અથવા Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008208
Book TitleAnubhav Prakasha Pravachan
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal, Kanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy