________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૨૮]
[૧૬૯ જ્ઞાનાનંદની રુચિ કરતો નથી. એક પછી એક શરીરને સુધારતો ચોરાશીમાં રખડે છે. આ શરીર જડ છે છતાં તેની ક્રિયામાં રોકાઈ જાય છે. આમ અનાદિ કાળ ગયો. “શરીર મારું ને હું એનો,” આ કર્મનો રાગ અનાદિથી લાગ્યો છે, એટલે કે શરીર ને કર્મ મારાં-એવી માન્યતાનો રોગ લાગ્યો છે. હું આનંદમૂર્તિ છું એવું અનંત બળ ક્ષીણ થઈ ગયું છે ને જન્મ-મરણ ભોગવે છે. શરીર તે જ હું એમ માને છે. પણ ચૈતન્ય-જ્યોતિનું ભાન કરતો નથી.
જેમ વાનર એક કાંકરો પડે ત્યારે રડ, તેમ દેહનું એક અંગ છૂટું પડે ત્યાં મનુષ્ય રૂવે. મારો કાન અથવા નાક તૂટી ગયો એમ માને છે. જરા લોહી નીકળે ત્યાં લોહી ઘટી જતાં હું નબળો પડી ગયો-એમ માને છે. હું એનો ને એ મારાં એમ જડની સેવાથી સુખ માને છે. શરીર ઠીક હશે તો ધર્મ થશે પરોપકાર થશે એમ માને છે. પોતે નિરૂપદ્રવ સ્વભાવી છે તેનું રાજ્ય ભૂલી ગયો-ચિદાનંદ સ્વભાવને ચૂકી ગયો.
શ્રીગુરુ કહે છે કે- “ચેતના તારું સ્વરૂપ છે, તું પોતે ચેતન છો, એમ બોધ સાંભળે ને પોતાને સંભાળે તો અવિનાશી રાજ્ય કરે. આત્મામાં જ્ઞાન-દર્શન આદિ ગુણની વસ્તી છે પણ પુણ્ય-પાપની વસ્તી નથી. આમ પોતે શક્તિની પ્રતીતિ કરી સ્થિર થાય તો કેવળજ્ઞાન પ્રગટે ને ત્રણલોકનો જાણનાર થાય. પછી ભવ થાય નહિ ને શરીરમાં રહે નહિ. આત્મામાં જ્ઞાન દર્શન શક્તિ છે, અંતસ્વભાવ ભરેલો છે, તેની શ્રદ્ધા, જ્ઞાન ને અનુભવ કરે તો સદાય શાશ્વત સુખનો ભોક્તા થાય.
કેવું છે તારું રૂપ? આત્મા વસ્તુ છે. તેની વીતરાગી પરિણતિ અનંત મહિમારૂપ છે. પોતાના પરમેશ્વર પદમાં રમનારી પોતાની પરિણતિ છે. પુરુષ એટલે ચિદાનંદ ભગવાન, તેનો સ્વભાવ આનંદ છે ને પ્રકૃતિનો સ્વભાવ દુઃખ છે-એ બન્નેનું ભેદજ્ઞાન કર. પર્યાયમાં કર્મના સંગે વિકાર થાય છે તે પ્રકૃતિનો સ્વભાવ છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com