________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૦]
શ્રી અનુભવ પ્રકાશ તે તારો સ્વભાવ નથી. રાગાદિ પુદ્ગલનું નાટક છે માટે તેનાથી જાદો છું એવો વિવેક કર. આવા ભગવાન આત્માનો આનંદ લઈને સુખી થા.
ભેદજ્ઞાન કરવું તે ઝાડ છે ને આત્માનો અનુભવ લેવો તે નિજાનંદ ફળ છે. તેનો સ્વાદ લે.
જેમ કોઈ રાજાને બીજાનો ગઢ લેવો મુશ્કેલ છે તેમ પરમાણુને પોતાના કરવા દુર્લભ છે. શરીર, મન, વાણીને પોતાનાં કરવાં મુશ્કેલ છે. બૈરાં-છોકરાં, પૈસા પોતાનાં કદી થયાં નથી, છતાં તે બધાને રાખું એવો ભાવ અજ્ઞાની કર્યા કરે છે, તો પણ તે તારાં થાય એમ કદી બને નહિ. એક પરમાણુનો અથવા બીજા આત્માનો સ્વામી તે-તે દ્રવ્ય છે. શરીરની સંભાળ કરતાં અનંત કાળ ગયો છતાં શરીર તારું થયું નથી. દેવમાં જાય કે મનુષ્યમાં જાય, ત્યાંના પદાર્થોને પોતાના કરવા મથ્યો પણ તે પોતાના થયા નહિ ને તારો જીવ તે-રૂપે થયો નહિ.
કોઈને પૂછે કે કયું ગામ તારું? તો તે કહે કે “મારું ગામ ભાવનગર,” પણ તેથી તે ગામ તેનું કદી થતું નથી; તેમ શરીર, પૈસા કોના? એમ પૂછે તો કહે કે “તે મારા છે, પણ જેમ ગામ મારું છે તે બોલવામાત્ર છે, કારણ કે તે કદી તેનું થતું નથી, તેમ આત્મા શરીર વગેરેનો સ્વામી કદી થતો નથી.
તારું પદ જ્ઞાતા છે તેને હું જાણતો નથી ને જે પરપદ છે તેને લેવા માગે છે. શિયાળ ઊંટના લબડતા હોઠને જોઈને તેને લેવા માગે પણ તે વ્યર્થ છે, તેમ શરીર, સ્ત્રી આદિનો સંયોગ થાય ત્યારે જીવ માને કે એ બધાંને મારાં કરી લઉં-પણ એમ બનતું નથી, શિયાળને ઊંટના હોઠ મળે તો જીવને પરવસ્તુ મળે પણ તેમ કદી બનતું નથી.
તું ભલે તારા પદને ભૂલી ગયો છો, છતાં તારું પદ મુશ્કેલ નથી. શરીરાદિને રાખવા માગે છે, પણ પરપદ મુશ્કેલ છે. નિજપદ તારું સ્વરૂપ છે તે મુશ્કેલ નથી. ભ્રમણારૂપી પડદો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com