SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૨૭] | [ ૧૬૫ વર્તમાનમાં હરખ-શોકનો અનુભવ કર્મના લક્ષ દેખાય છે, પણ નિશ્ચયદષ્ટિએ ચેતનામાં હરખ-શોકનો અનુભવ નથી. સમયસાર ગાથા ૧૧માં કહ્યું છે કે વ્યવહાર અભૂતાર્થ છે ને ભૂતાર્થ સ્વભાવના આશ્રયે ધર્મદશા પ્રગટે છે. ભૂતાર્થ સ્વભાવમાં દ્રવ્ય, ક્ષેત્રે, કાળે, ભાવે ને અનુભવે એકરૂપ ભાવ છે. તેવા જ્ઞાતા તરફનો એકરૂપ અનુભવ થાય તે સમ્યગ્દર્શન છે. સમયસાર ગાથા ૧૪ની ટીકામાં પાંચ બોલ કહ્યા છે. અહીં અબદ્ધસ્પષ્ટના બે બોલ જુદા કહી છે બોલ કહ્યા છે. પરમાં પર છે, નિજચેતનમાં પર નથી. આત્મા શાશ્વત ધ્રુવસ્વભાવી સમ્યગ્દર્શનનો વિષય છે. તેથી છ ભાવો ઉપર ઉપર રહે છે, બિલકુલ નથી એમ નથી. (૧-૨) કર્મનો સંબંધ વ્યવહારનયથી છે પણ વસ્તુમાં કર્મનો સંબંધ નથી. (૩) ક્ષેત્રની વ્યંજનપર્યાય વ્યવહારનયથી છે પણ વસ્તુ અસંખ્યપ્રદેશી એક છે, (૪) સ્વકાળે વિભાવની હાનિ-વૃદ્ધિ વ્યવહારનયથી છે પણ વસ્તુ એકરૂપ છે, ગુણભેદ વ્યવહારથી છે પણ વસ્તુ તો અભેદ છે, (૬) હરખ-શોકનો અનુભવ વ્યવહારથી છે પણ વસ્તુમાં હરખ શોક પેઠા નથી. કોઈ પર્યાયને ઉડાડે તો તે મૂઢ છે. પર્યાય વ્યવહારનયનો વિષય છે. પર્યાયમાં છ ભાવ રહેલા છે. ચૈતન્યવાદીમાં એવા ભાવ નથી. શિષ્ય પૂછેલ કે-અબદ્ધસ્કૃષ્ટ આત્મામાં અનુભવ કેમ થાય? શ્રીગુરુ કહે છે કે પાંચ ભાવો અથવા છ ભાવો કાયમ રહે તેવા નથીઅભૂતાર્થ છે. દ્રવ્યસ્વભાવ ભૂતાર્થ છે. તેના અવલંબને ધર્મ થાય છે. આ છ ભાવો ઉત્પાદ-વ્યયરૂપ છે, તે સમ્યગ્દર્શનનો વિષય નથી. સમ્યગ્દર્શનનો વિષય ચિદાનંદ ધ્રુવ આત્મા છે. (૫) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008208
Book TitleAnubhav Prakasha Pravachan
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal, Kanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy