________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮]
શ્રી અનુભવ પ્રકાશ અભાવરૂપે રહેશે ને તારી ચીજ એવી ને એવી સદ્દભાવરૂપે છે, માટે તેને તું જે.
નટ ગમે તેટલા વેશ પહેરે તોપણ પોતાને તેરૂપ માનતો નથી. નટ ઘેર જાય છે ત્યારે નાટકનો વેશ પહેરીને જતો નથી, તેમ શરીર, પુણ્ય-પાપ આદિ ભેખ છે, તે ભેખ લઈને આત્માની અંદર જવાય તેમ નથી. તત્ત્વોનો વિકલ્પ પણ ભેખ છે, તે બધા ભેદો છે. તેના વડે તારા ચૈતન્યપદમાં નહિ જવાય, માટે સમ્યગ્દર્શનનું ઘર જોવું હોય તો પુણ્યપાપ, દયા વગેરેના ભેખ સાથે લઈને અંતપ્રતીતિ થશે નહિ. પુણ્ય કરતાં કરતાં ધર્મ થશે તેમ માને છે, તે બધું બંધનું કારણ છે, તેની રુચિ છોડી, નિત્યાનંદ દીવાની દષ્ટિ કર. શરીર ને વિકાર અનિત્ય છે, તેની રુચિ છોડ. સ્વભાવ એવો ને એવો નિત્ય છે; તેને જોવાથી અનુભવ થશે ને ધર્મ થશે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com