________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૨૬]
[૧૫૭ “સંસાર ન બનાવ્યો હોત તો આ ઉપાધિ તો ન રહેત,” એમ કોઈ અજ્ઞાની કહે છે. પોતે ભૂલ કરે છે, તે કોઈ બીજાએ કરી નથી. પર વસ્તુ તો પરમાં છે, વિકાર અથવા સંસાર પોતે કરે છે, તે પોતામાં છે, પરમાં નથી, પરે કરાવ્યા નથી ને તેને પોતે ટાળે તો નાશ થાય, છતાં કર્મ ઉપર અથવા ઈશ્વર ઉપર દોષ નાખે છે. આત્મા ત્રિકાળ આનંદમૂર્તિ છે, તેને ચૂકી પરમાં સુખ માની દુઃખની ભાવના કરી દુઃખી થાય છે.
શરીર મંદિરમાં આત્મા દીવો છે. પુણ્ય-પાપને દીવો ન કહ્યો. વિકાર સ્વભાવમાં નથી. ચેતન દીપક શાશ્વતનો ખ્યાલ કરતો નથી.
પ્રશ્ન :- બહારથી નિવૃત્તિ લ્ય તેને આ બધું સમજાય ને?
સમાધાન :- જેને ઊંધી સમજણ છે તેને નિવૃત્તિ નથી. પર પદાર્થો મારામાં નથી ને વિકાર મારું સ્વરૂપ નથી, હું જ્ઞાન છું એવો નિર્ણય કરે તો પોતે ખોટી શ્રદ્ધાથી નિવર્યો કહેવાય ને સ્થિરતા કરે તો અસ્થિરતાથી નિવર્યો કહેવાય.
તું શાશ્વત દીપક છે. શરીર તો છૂટે છે, શરીર છૂટેલું જ પડ્યું છે. ચૈતન્ય ને શરીર વચ્ચે અત્યંત અભાવ છે. શરીર મારું નથી, હું આત્મા છું, પુણ્ય-પાપ કૃત્રિમ છે ને સ્વભાવ અકૃત્રિમ છે-એવી દષ્ટિપૂર્વક અવલોકન કરો. શરીર અસ્થિર છે, ચૈતન્ય નિત્ય સ્થિર છે, તેનો અભાવ થયો નથી.
જેમ વ્યવહારમાં નટ અનેક સ્વાંગ ધરે છે, છતાં પોતે તેરૂપ નથી. કોઈ નટ કૂતરાનો વેશ લ્ય, છતાં પોતાને કૂતરો માનતો નથી. અજ્ઞાની માને છે કે હું નિર્ધન, હું ધનવાન, હું પંડિત, હું મૂર્ખ, હું કાળો, હું રૂપાળો વગેરે પ્રકારે માને છે. શરીરો તો અસ્થિર છે, તું એવો ને એવો રહ્યો છે, માટે તું તને જે.
આત્મા ચિદાનંદ દીવો છે, નિત્યાનંદ પ્રભુ છે. શરીર છૂટવાથી આત્માનો અભાવ થશે? ના. અભાવવાળી ચીજો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com