________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬]
શ્રી અનુભવ પ્રકાશ છે કે હું પુણ્યનો રાજા અથવા સ્વામી છું. દેહ, મન, વાણી, પૈસા વગેરે જડનો સ્વામી થાય તે તો મિથ્યાદષ્ટિ છે, પણ વિકારનો સ્વામી થાય તે પણ મિથ્યાદષ્ટિ છે.
એક પરમાણુનો ને રાગનો સ્વામી થઈશ તો નિગોદમાં જઈશ. તારે ધર્મ કરવો હોય તો આ સમજ ને અનંતશક્તિનો ભરોશો કર, તેનો વિશ્વાસ કર.
શ્રી દીપચંદજી ગૃહસ્થ હતા. અંતરનિધિ ખોલી બતાવે છે. દીકરીને આણું વળાવે તેમાં કરિયાવર આપે છે, અહીં આત્માની ઋદ્ધિ બતાવે છે, તેને સાંભળી સુખી થા.
પ્રશ્ન :- એ લૌકિક ચીજો પ્રત્યક્ષ દેખાય છે, પણ આત્મા પ્રત્યક્ષ દેખાતો નથી.
સમાધાન - તેને જોનાર કોણ છે? જ્ઞાન વિના આ ચીજ છે એમ કોણે જાણું? જેની સત્તામાં આ જણાયું તે જ્ઞાન છે. આ છે તે કોના પ્રકાશમાં જણાયું ? જડ ન જાણે, વિકાર ન જાણે પણ જ્ઞાન જાણે છે, છતાં મને જણાતું નથી એમ કહે છે. જ્ઞાન-દર્શન ન હોય તો રાગ થયો, નવો નવો વિકાર થયો, શરીરમાં રોગ આવ્યો કે ગયો તે કોણ જાણે? તે બધું ચૈતન્યસત્તામાં જણાય છે. તેની જે પ્રતીતિ કરતો નથી તે મિથ્યાદષ્ટિ છે.
અહીં કહે છે કે જેટલો ભેદ પડે છે તે તારું પદ નથી. સ્વભાવમાં જ્ઞાનનું એકપણું થવું તે તારું પદ છે, પુણ્ય-પાપ તારું પદ નથી. અજ્ઞાની માને છે કે મેં આટલાં પુણ્ય કર્યા. ભાઈ, તે બધો વિકાર છે. વિકારરહિત આત્મા તે તારું પદ છે.
શરીર, મન, વાણી જ્ઞાન વિનાનાં છે, અપવિત્ર છે, અસ્થિર ને ક્ષણિક છે. તેની સાથે શું સ્નેહ કરો છો? બરાબર નિહાળો કે શરીરની અંદર ચૈતન્યતત્ત્વ છે. આ ચૈતન્યદીવો સ્થિર છે, પવિત્ર છે, તેને ઓળખ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com