________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પોષ વદ ૧, ગુરુ ૧-૧-૫૩
- પ્ર. - ૨૬
આ આત્મા છે તે કોને અનુભવે? પુણ્ય-પાપને અનુભવે તે અધર્મ છે. શરીર, મન, વાણી રૂપી છે, તેને તો અનુભવતો નથી; આત્મા શુદ્ધ છે તેનો અનુભવ કરવો તે ધર્મ છે.
શ્રીગુરુને કહ્યું કે તું આનંદઘન ધ્રુવ સ્વભાવી છો -એમ તારું નિધાન બતાવ્યું. નિર્મળાનંદ છો, પુણ્ય-પાપ વિકાર છે, એવું સ્વરૂપ ઓળખાવ્યું, માટે ગુરુએ આત્મા આપ્યો એમ કહ્યું છે. રત્નત્રયનો ભંડાર આત્મા છે એવું નિધાન આપ્યું. પોતે સાક્ષસ્વરૂપ છે એમ વિચારે તો ધર્મ પામે. શુદ્ધ ચિદાનંદ તારું નિધાન છે, તેને સંભાળી સુખી થાઓ. અહીં સંભાળવાથી સુખી થવાનું કહ્યું. હું જાણનાર છું એવી શ્રદ્ધા, જ્ઞાન ને રમણતા તે સુખનું કારણ છે.
જેમ કોઈ સ્ત્રીએ પોતાની પથારી ઉપર લાકડાની પૂતળીને શણગારીને સુવાડી. પતિએ જાણ્યું કે મારી સ્ત્રી સૂતી છે. તેને બોલાવે પણ બોલે નહિ. પવન નાખ્યો વગેરે સેવા કરી, આખી રાત ખુશામત કરી, પછી પ્રભાત થયું ત્યારે જાણ્યું કે મેં જૂઠી જ સેવા કરી. આ તો લાકડાની સ્ત્રી છે. તેમ શરીર લાકડા સમાન છે; તેને તારાથી જુદું માન. દેહની ક્રિયા ને રાગની ક્રિયામાં ધર્મ નથી એમ શ્રદ્ધા કર દેહને સાચો માની સેવે છે, શરીર, મન, વાણીમાં ધર્મ માની બેઠો છે, પછી ભાન થયું કે આ બધા જડ છે, ત્યાં ધર્મ નથી, પુણ્ય-પાપમાં ધર્મ નથી, સ્વભાવમાં ધર્મ છે. અજ્ઞાની લોકો શરીરને ધર્મનું સાધન માને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com