________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૨૪]
[૧૪૫ ફુલ નથી તેમ સંતોને વિકાર થતો નથી. તેઓ તો આનંદકંદનો અનુભવ કરે છે.
ચૈતન્યવિલાસનું જ્ઞાન કરી તેને ઓળખે, તે સિવાય લક્ષ્ય-લક્ષણ લખવામાં (જાણવામાં ) આવી શકે તેમ નથી. લક્ષ્ય આત્મા છે ને લક્ષણ જ્ઞાન ને આનંદ છે. જ્ઞાન ને આનંદથી આત્મા જણાય તેમ છે. આત્મા જ્ઞાનાનંદરૂપ છે તેમ ઓળખવાથી સુખ થાય. સ્વાદનું નામમાત્ર જાણે અનુભવ ન થાય.
આત્મા સહિત વિશ્વ એટલે છ દ્રવ્ય વ્યાખ્યા કરવા લાયક છે. વ્યાખ્યા વાણીની રચના છે ને વ્યાખ્યા કરવાવાળો તે વ્યાખ્યાતા છે. તે બધો વિકલ્પ છે. આત્મા આવો છે, તેનો વિકલ્પ પણ રાગ છે. વાણીની રચનામાં આત્મા નથી. વ્યાખ્યાન કરનાર છું એવી માન્યતા પણ આત્મામાં નથી. છ દ્રવ્યોની વિકલ્પસહિત વ્યાખ્યા કરવી તે મોહનો વિકાર છે, તે સમ્યગ્દર્શનનો વિષય નથી. માટે તારા ચિદાનંદ આત્માને જો. પાઠ મેળવતાં આવડ કે વ્યાખ્યાન કરતાં આવડે તેમાં કાંઈ માલ નથી. આટલી ભાષા ન આવડી, પાઠ મેળવતાં ન આવડ્યો તે બધો બાહ્યનો મહિમા છે. કોઈ જીવ હજારો માણસમાં સારું વ્યાખ્યાન કરતો હોય તો તેવો વ્યાખ્યાન કરનાર થાઉં તો ઠીક-એમ અજ્ઞાની ભાવના ભાવે છે. તારે શું જોઈએ છે? ચૈતન્યસંપદા તારી પાસે છે તેની રુચિ છોડી આ ભાવના બેકાર છે, આત્મા માટે લાભદાયક નથી. પુસ્તક વાંચતાં આવડે ને જવાબ દેતાં આવડે, એક કલાક વ્યાખ્યાન વાંચતાં આવડે તો ન્યાલ ન્યાલ થઈ જાય એમ અજ્ઞાની માને; વ્યાખ્યાનના સ્થાન ઉપર બેઠા હોઈએ, મધુર કંઠ નીકળતો હોય-એવી ભાવના મિથ્યાદષ્ટિ ભાવે છે. તારી સંપદા તારામાં છે. ભાષા સારી ન હોય, પુસ્તકો કરતાં ન આવડે, તેનો કાંઈ વાંધો નથી, તેથી કલ્યાણ રોકાતું નથી.
લાખો માણસને સમજાવે. કરોડ પુસ્તક બનાવે અથવા મોટો વ્યાખ્યાન કરનાર હોય પણ તેથી આકુળતા મટતી નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com