________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૨૩]
[ ૧૩૯ થાંભલાને જોઈ તેને સાચો જાણી અંધારામાં તેની સાથે લડાઈ કરવા માંડયો, પોતે નીચે પડ્યો ને થાંભલો ઉપર પડ્યો, ત્યાં કહે કે હું હાર્યો. આ પ્રમાણે પરને પોતાનું માની દુઃખી થયો. અમે આટલાં પુણ્ય કર્યાં તો ભોગવીએ છીએ-એમ પરને પોતાનું માની દુઃખી થયો. પોતાના ચેતન સિવાય બધા અચેતન છે તે મને લાભ-નુકશાન કરશે એમ માની દુઃખી થયો. આમ મિથ્યાત્વનો કેફ ચડ્યો છે. નોકર સાથે, બૈરાં છોકરાં સાથે, લડ્યો તે બધી ચીજો પર છે, તેને પોતાની માને છે. “આ સુંદર શરીરમાં ઈયળો પડશે એ અમે જાણ્યું ન હતું. આ છોકરો વિરુદ્ધ થયો,” વગેરે પ્રકારે માની પોતાના ભાવથી દુઃખી થાય છે. પોતે રાગદ્વષ કરી દુઃખની ભાવના કરી ભવ બનાવ્યા છે, કર્મોએ ભવ કરાવ્યા નથી. સંયોગોનો વિશ્વાસ કરે, રાગમાં સુખ માને, તે માન્યતા દુઃખની દાતાર છે. “પૈસા ભેગા કર્યા પછી ધર્મ કરશું,' એ ઊંધી ભાવના છે. પોતાના સ્વભાવમાં રાગ નથી, છતાં રાગ ઊભો કર્યો છે.
તે બધા જડ છે, પર છે છતાં તેમાં સુખ છે એમ માને છે. તેમાં સુખ નથી, છતાં સુખ કહ્યું છે. માટે અનુત્પન્નને પેદા કર્યું તથા અચેતનને ચલાવ્યું-એમ કહે છે. મરેલાનું જતન અનાદિથી કરે છે. જૂઠી માન્યતાથી તારું કર્યું કાંઈ જડ ચેતન ન થાય. તું જ એવી જૂઠી કલ્પનાથી દુઃખ પામે છે. લક્ષ્મીમાંથી સુખ આવે એમ નથી, શાસ્ત્રમાંથી જ્ઞાન આવે એમ નથી. તું જઠ કલ્પનાથી દુઃખ પામે છે. જૂઠી કલ્પનાથી શું ફાયદો છે? સંસારના ફંદમાં પોતે ખેંચી ગયો છે. પોતાના વિપરીત ભાવના ફંદમાં પોતે પડ્યો છે. ઊંધી દષ્ટિએ તથા પરના અનુભવે સંસાર છે ને સાચી દષ્ટિએ તથા સ્વના અનુભવે મોક્ષ છે.
ત્યાગી થાય તોપણ કહે કે કર્મ સંસારમાં રખડાવે, પણ તે ભૂલ છે. પોતે કોણ છે? તેના વિચાર વિના મૂલ્યો છે. ચિદાનંદની ખાણ ભૂલ્યો. આત્મા અનંતચતુષ્ટય-જ્ઞાન, દર્શન,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com