________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૨૨]
| [ ૧૩૩ થઈ હોય તેને સાચવી રાખે–એવો નાથનો અર્થ છે. જોગ ને ક્ષેમના કરનારને નાથ કહે છે. આત્મા પોતાની પ્રાપ્ત થયેલી ચીજને રાખે ને નહિ મળેલી ચીજને મેળવી આપે તેથી નાથ છે. આવો ત્રણલોકનો નથી પૂજ્યપદને ભૂલી થયો છે.
જ્ઞાયક ચિદાનંદનો ભોગ તે અનુભવ છે ને તેને ભૂલી વિકારનો ભોગ તે સંસાર છે.
આત્મા પોતે નિવૃત્ત તત્ત્વ છે. મનુષ્ય હો કે દેવ હો, ચાલતો હોય કે સૂતો હોય, ચૈતન્યતત્ત્વ પરનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી જાદો છે–એવા તારા તત્ત્વને જો.
ત્રણલોકનો નાથ થઈ પોતાના પૂજ્યપદને ભૂલી નીચપદમાં સ્વપણું માની વિકળ થઈ વ્યાકુળ બની ડોલે છે. લોહી, હાડકાં ને ઇન્દ્રિયોમાં સુખ માને છે. તેમાં મજા માને છે. ગાંડો થઈ વ્યાકુળ બની ડોલે છે.
જેમ કોઈ એક ઇન્દ્રજાળના નગરમાં રહે છે. ત્યાં તે ઇન્દ્ર જાળિયાને વશ થઈ ઇન્દ્રજાળના હાથી, ઘોડા, સેવક, સ્ત્રી આવે ત્યાં કોઈ ને તે હુકમ કરે છે. સેવક આવી સલામ કરે, સ્ત્રી નાચે, પોતે હાથી ઉપર ચડે છે, ઘોડા દોડાવે છે. એ ઈન્દ્રજાળમાં સાચા જાણી વિકળતા ધારણ કરી કોઈ વેળા કોઈના વિયોગથી રડે છે તથા દુઃખી બની છાતી કૂટે છે, તેમ અહીં પણ અજ્ઞાની જીવો છાતી કૂટે છે. કોઈ ચીજ મળતાં આનંદ માને છે ને વિયોગ થતાં શોક કરે છે. સિનેમામાં ઘણા પ્રકારનાં દશ્યો આવે, નગર દેખાય, ઘોડાગાડીઓ ચાલતી દેખાય, ઊંચાં મકાનો દેખાય પણ ત્યાં કાંઈ તે વસ્તુ નથી, ત્યાં તો માત્ર પડદો છે; તેમ આ જગતમાં જે પર ચીજો દેખાય છે તે ઈન્દ્રજાળના ખેલ છે, તેમાં કાંઈ સુખ નથી.
કોઈ વાર શૃંગાર બતાવે, કોઈ વાર ફોજ દેખે, પણ ત્યાં ફોજ નથી, બધી ઇંદ્રજાળ ખોટી છે. બધા કહે છે કે આ ઇંદ્રજાળ જૂઠી છે, એમાં જરાપણ સાચ નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com