________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૨૧]
[૧૨૫ પોતાનો આત્મા જ પોતાને માટે ઇષ્ટ છે, ઉત્તમ, મંગળ અને શરણરૂપ છે. તો શુભરાગમાં વ્યવહાર સાચા દેવ-શાસ્ત્ર-ગુરુ આદિને નિમિત્ત કહેવાય છે.
પોતાની પાત્રતાથી મોહ મટે ને પરમાનંદદશાનો સાક્ષાત્કાર થાય આનું નામ ધર્મ છે, એ મોક્ષમાર્ગ છે, તે જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય છે. ગ્રંથકર્તા શ્રી દીપચંદજી ગૃહસ્થ હતા. તેઓ કહે છે કે જ્ઞાનનો રાહુ સ્વરૂપમાં દષ્ટિ કરવાથી મળે છે. એવો પંથ શ્રી કુંદકુંદાચાર્ય આદિ મુનિઓએ સહેલો કર્યો છે. રાગની રુચિ રાખી અનંતવાર નવમી રૈવેયકે ગયો, દયા-દાનાદિ કર્યા પણ તે પરાશ્રય છે, પુણ્યપરિણામ છે, માટે તે વડે આત્માને ગ્રહણ કરવો કઠિન છે, પણ તેને સ્વાશ્રયદષ્ટિથી-અંતરથી પકડવો તે સહેલો છે. સંતોએ માર્ગ સુલભ બતાવ્યો છે. અજ્ઞાની બહારથી ધર્મ માની દુર્લભ માને છે, પણ ખરેખર તે દુર્લભ નથી.
ભગવાન આત્મા શક્તિએ પૂર્ણ ભરેલો છે. શરીર, મન, વાણીમાં ગુમ છે. અનાદિ કાળથી અનંત ભવ કર્યા, પણ હું ચૈતન્ય કોણ છું, તેની સંભાળ કરી નહિ. અનેક શરીર ધારણ કર્યા, પણ જીવ એનો એ છે. ચોરાશી લાખ યોનિમાં અવતર્યો, પણ કયાંય સ્થિર થયો નહિ. આત્મા જ્ઞાનસૂર્ય છે, ચૈતન્યજ્યોતિ છે, શરીર અને પુણ્ય-પાપથી રહિત છે, તેને ન પહોંચે ત્યાંસુધી આત્માનું કાર્ય સરે નહિ.
પૈસાથી ધર્મ થતો નથી. રાગ મંદ કરે તો પુણ્ય થાય. ઘણા ઉપવાસ કર્યા, સૂર્યના તડકે તપ્યો, પણ જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માની જેણે સન્મુખતા કરી નહિ તેનાં તપ, જપ આદિ સંસારમાં રખડવા માટે છે. આખી જીંદગી નવ નવ કોટીએ બ્રહ્મચર્ય પાળે પણ જ્ઞાનને જ્ઞાનથી વેધા વિના બ્રહ્મચર્યથી શું વળ્યું? વસ્ત્ર-પાત્ર છોડી નગ્ન મુનિ થાય. જંગલમાં વસે તોપણ શું થયું? જેવા સિદ્ધ ભગવાન છે, તેવો આ આત્મા સ્વભાવે પૂર્ણ છે. એવો અપૂર્વપણે ભાવ ભાસ્યા વિના યતિના ભેખ ધારણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com