________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પોષ સુદ ૧૧, શનિ ૨૭-૧૨-પર
પ્ર. - ૨૧
જ્ઞાન ને આનંદ આત્માનું સ્વરૂપ છે. તેની અંતર્દષ્ટિ કરવી ને સ્થિરતા કરવી તે અનુભવપ્રકાશ છે. આત્માની રાગ-દ્વેષ પર્યાય તે સંસાર છે ને વીતરાગી આનંદદશા તે મોક્ષની કરનાર છે, શરીરાદિની ક્રિયા સંસારની કે મોક્ષની કરનારી નથી. નિજપરિણતિ તે મોક્ષ છે. જ્ઞાનીને શુભરાગમાં વ્રત-તપ આદિ થાય તે પણ બંધન ભાવ છે, ચૈિતન્યના અવલંબને અબંધ અંશ પ્રગટે તે મોક્ષમાર્ગ છે.
હવે નિમિત્ત બતાવે છે. કોઈ નિમિત્ત ઇષ્ટ કે અનિષ્ટ છે જ નહિ, પણ અંતરસ્વભાવની સમજણમાં ગુરુ નિમિત્ત છે. પુણ્ય-પાપ બાહ્ય સામગ્રી આપનારા છે. અંતરદષ્ટિ મુક્તિનું કારણ છે. તેમાં નિમિત્ત સત્સંગ છે. આત્મા જ્ઞાનસ્વરૂપી છે-એવું ભાન થવા પહેલાં અનુભવી જીવનું નિમિત્ત હોય છે. કોઈ કહે છે તેમ માનવાથી નિમિત્ત ઇષ્ટ થઈ જાય છે ને તેથી મિથ્યાદષ્ટિ થઈ જાય છે, તો તે વાત ખોટી છે. વળી કોઈ કહે કે ગમે તે નિમિત્ત હોય તો પણ વાંધો નથી, તો તે પણ ખોટું છે. પોતે પોતાના સ્વભાવનું ભાન કરે ત્યારે સનિમિત્ત હોય. જેમ ગતિરૂપ જીવપુદ્ગલ સ્વયં પરિણમે છે ત્યાં ધર્માસ્તિકાયને નિમિત્ત ગણાય છે, તેમ પોતે શ્રદ્ધા જ્ઞાન પ્રગટ કરે તે વખતે જ્ઞાનીનું નિમિત્ત હોય છે. કુદેવ, કુગુરુ નિમિત્તરૂપે ન હોય ને એકલાં શાસ્ત્ર પણ નિમિત્ત ન હોય. કોઈ કહે-ધર્માત્માને નિમિત્ત કહેશો તો તે ઇષ્ટ થઈ જશે. તો કહે છે કે ના, તેમ નથી. સ્વ-પર પ્રકાશક જ્ઞાન પ્રગટતાં સાચા ગુરુ નિમિત્તરૂપે હોય એમ જાણી લ્ય છે. પરમાર્થે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com