________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૨૦]
[૧૨૧ પણ મુક્તિ થાય એમ બે વાત ન હોય. વ્યવહાર છે ખરો, તેનું જ્ઞાન કરવા જેવું છે, એમ કહી સ્યાદ્વાદ વિરોધને મટાડે છે. અધૂરી દશામાં શ્રવણ આદિનો શુભરાગ હોય છે, પણ જે ભાવથી મુક્તિ થાય તેનાથી શુભભાવ વિરોધભાવ છે, છતાં તેને સાધન માનવું તે સંસાર છે.
આ માર્ગ સહેલો છે પણ અજ્ઞાનીએ મોંઘો કરી મૂકયો છે. વળી પ્રીતિ કરી વારંવાર સાંભળે છે–એમ કહ્યું છે. તેનો અર્થ એમ છે કે તેને સ્વભાવ રુચે છે, જ્ઞાયકની વાત સાંભળે છે, રાગ બંધનું કારણ છે એમ વારંવાર સાંભળે છે, પુણ્ય-પાપને વ્યવહાર ઉપર ગમે તેટલા નિષેધના કોરડા પડે તોપણ સાંભળે ને આત્મસ્વભાવની વાત સાંભળે, તેને આત્માની રુચિ છે.
અધૂરી દશામાં શુભરાગ આવે છે. ઇન્દ્રો પણ ભગવાન પાસે ભક્તિ વખતે નાચે પણ તે શુભરાગ પરલક્ષી ચીજ છે, અંતરની ચીજ નથી. જ્ઞાની તથા અજ્ઞાની બન્નેને રાગના કાળે રાગ થાય છે પણ તેનું લક્ષ કઈ બાજુ છે તે ઉપર આધાર છે.
જ્ઞાન ને આનંદ મારૂં સ્વરૂપ છે–તેવી વાર્તા કરે તો અનુપમ સુખ થાય ને અનુભવ કરે તેના મહિમાને કોણ કહી શકે? ભગવાનની વાણીમાં વાણી આવે, વાણીમાં ૫રમાત્માનો અનુભવ આવતો નથી. વાણીને વાણીની ખબર નથી, તથા ૫રમાત્માની ખબર નથી. વાણી વાણીની વાર્તા કરે ને વાણી ૫રમાત્માની વાર્તા કરે. વાણીમાં ૫રમાત્માને કહેવાનો ગુણ છે, પણ પરમાત્માને જાણવાનો ગુણ નથી. ૫૨માત્માની વાર્તા કહેવાનો ગુણ આત્મામાં નથી. આત્મામાં જાણવાની તાકાત છે, તે પોતાને જાણે ને વાણીને જાણે પણ આત્માની વાર્તા કહેવાનો ગુણ એટલે વાણીનો ગુણ આત્મામાં નથી-આમ ભેદજ્ઞાન કરવું જોઈએ.
મારી નાત ચૈતન્યની છે-વાણી સાંભળીને જે આવો ભાવ કાઢે તે જીવ આત્માનો અનુભવ કરી પરમાત્મા થાય. વાણી જડ છે, તેને તો ખબર પણ નથી કે આત્મા અબંધ છે, પણ આત્માને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com