________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧૯]
[૧૧૫ કહે છે કે જીવ વિના વધ-ઘટ થતી નથી. પથ્થરમાં એકેન્દ્રિય જીવ હોય છે તો તે વધે-ઘટે છે. વળી એટલા જીવમાં સંકોચ-વિસ્તાર થાય તો સિદ્ધમાં થવો જોઈએ, પણ ત્યાં સંકોચ-વિસ્તાર નથી. માટે જડ-ચેતન બને મળતાં સંકોચ-વિસ્તાર થાય છે. એવો સંસારદશામાં પર્યાયધર્મ છે.
આમ કહી સંકોચ-વિસ્તાર પર્યાયનો ધર્મ બતાવ્યો છે, તે મૂળ સ્વભાવ નથી.
દરેક જીવમાં સિદ્ધના જેટલા ગુણો રહેલા છે. અજ્ઞાની જીવ બહાર ગોતે છે, પણ પોતાના ભગવાનને માન્યા વિના કાંઈ વળે તેમ નથી. દરેક ગુણ પોતાના પ્રદેશમાં છે. અસંખ્ય પ્રદેશમાં ગુણો પડયાપાથર્યા છે, પણ ગુણદષ્ટિ વિના સવળું પરિણમન થયું નહિ. સંસાર અવસ્થાની દષ્ટિએ મોક્ષમાર્ગની શરૂઆત ન થાય. અનંતકાળ થયો પણ ચેતન કદી જડ થતો નથી. ચેતન તો એવો ને એવો પડ્યો છે, પણ અસંખ્ય પ્રદેશમાં રહેલા ગુણો અને તે ગુણોના સમૂહુરૂપ દ્રવ્ય-તેની દષ્ટિ કર્યા વિના મોક્ષમાર્ગ થતો નથી. તારા અસંખ્ય પ્રદેશમાં ગુણો એવા ને એવા તાજા પડ્યા છે, કદી પણ ગંધાઈ ગયા નથી. હીણી પર્યાયના આશ્રયે મોક્ષમાર્ગ ન થાય, પણ ગુણોની દૃષ્ટિથી એટલે કે શ્રદ્ધા, જ્ઞાન, રમણતામાંથી જેટલી જેટલી શુદ્ધતા થતી ગઈ તેટલો તેટલો મોક્ષમાર્ગ
થયો.
નિશ્ચયમોક્ષમાર્ગ બે પ્રકારનો છે-સવિકલ્પ તથા નિર્વિકલ્પ. સવિકલ્પ-ભેદવાળો-દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા ત્રણ ગુણો ભેદરૂપ છે. એમ ત્રણ ભેદનો વિચાર કરે છે કે- “બ્રહ્મ રિન્નાપછી હું આત્મા જ છું એવી સ્વભાવસભુખ લીનતા થઈ તે નિશ્ચયમોક્ષમાર્ગ છે. હું બ્રહ્માનંદ છું એવો રાગભાવ આવે છે તે મોક્ષમાર્ગ નથી પણ સ્વભાવસભુખ પોતે સ્થિર થઈ જાય, રાગનું અવલંબન છોડી અભેદ સ્વભાવમાં લીન થાય છે તે નિર્વિકલ્પ નિશ્ચયમોક્ષમાર્ગ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com