________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪]
[ શ્રી અનુભવ પ્રકાશ સત્તાગુણને લીધે હોવાપણું છે, માટે દ્રવ્યનું લક્ષણ સત્ કહ્યું છે. સત્તાએ બધાને શાશ્વત રાખ્યા.
જો ચેતનાના અનંતા ગુણોનું સ્વરૂપ અસત્તા હોત તો જ્ઞાનસ્વરૂપ ચેતનાનો મહિમા અવિનાશી, નિત્યાનંદ ધૃવરૂપે ન રહેત. જે વસ્તુ-સત છે તે સત્ ન હોય તો તેનો જ્ઞાનાનંદ ન રહેત. આત્મા સચ્ચિદાનંદરૂપ છે. સત્ + ચિત્ + આનંદ = પોતે જ્ઞાન ને આનંદસ્વરૂપ છે.
“સત દ્રવ્ય લક્ષણમ્' દ્રવ્ય લક્ષ્ય છે ને સત્તા લક્ષણ છે. એ વાતથી શરૂ કર્યું. જડમાં સારું છે, પણ જ્ઞાનાનંદપણું નથી. ભગવાન આત્માનું સત્ લક્ષણ છે ને જ્ઞાનાનંદ તેનું રૂપ છે, માટે સચ્ચિદાનંદરૂપ વડે આત્મા પ્રધાન છે. તે પાંચ અજીવ દ્રવ્યોમાં નથી.
આત્મા અરૂપી છે, તેમાં સ્પર્શ, રસાદિ નથી. તેમાં ત્રણ-લોકને જાણવા-દેખવાની શક્તિ છે. દર્પણની જેમ લોકાલોક ભાસવારૂપી સ્વચ્છત્વશક્તિ વગેરે અનંતી શક્તિ તેમાં રહેલી છે, છતાં કર્મોની સંગતિ વડે અવરાઈ ગયો છે ને શરીરપ્રમાણ સંકોચ-વિસ્તાર થાય છે.
કોઈ પ્રશ્ન પૂછે કે-આત્મા આકાશવત્ કેવી રીતે સંકોચ-વિસ્તાર પામે ?
સમાધાન :- સંકોચ-વિસ્તાર અનિત્ય પર્યાયનો ધર્મ છે, પણ સ્વભાવનો ધર્મ નથી. સંકોચ-
વિસ્તાર પરના સંયોગ થાય છે. એક સાંકળી નાના છોકરાને પહેરાવતાં ડોકમાં ઘણા સરા લેવા પડ ને મોટા છોકરાને થોડા સરા લેવા પડે, પણ સાંકળીમાં સોનું ને મકોડા તો એટલા ને એટલા છે, તેમ આત્મા જે જે શરીરમાં ગયો તે તે શરીરના આકારે પર્યાયમાં સંકોચ-વિસ્તાર પામ્યો, તે કર્મ અને શરીરના નિમિત્તે થયો છે એમ બતાવ્યું.
ઝાડ વધે, ઇયળ મોટી થાય, મનુષ્ય વધે-તેમાં જ જીવ છે તો તે વધે છે. એકલાં લાકડાં વગેરે વધતાં-ઘટતાં નથી. જો પુદ્ગલ સંકોચે ને વિસ્તરે તો કાષ્ઠ-પથ્થર પણ વધે-ઘટે. માટે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com