________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૬]
શ્રી અનુભવ પ્રકાશ નિર્વિકલ્પ કહો કે આત્માનો અનુભવ કહો-બને એક જ છે. જીવની શક્તિ તો ત્રણકાળ-ત્રણલોકને જાણવાની છે. તેમાં જ્ઞાન જ્ઞાનને વેદે તેટલો જ્ઞાનનો વિકાસ થયો, તે અંશ સર્વજ્ઞશક્તિ પ્રગટ કરશે. સર્વજ્ઞશક્તિ ત્રિકાળ છે તેનું વેદન થયું. સર્વજ્ઞશક્તિના આધારે સ્વસંવેદન થયું છે. પુણ્ય-પાપના આધારે જ્ઞાન થતું નથી. આત્માની વાર્તા માંડી છે, જેને રુચિ હોય તેને સમજાય તેવી છે. આત્મા જાણનાર સ્વભાવી છે, તેનું સ્વસંવેદન જ્ઞાન પ્રગટી અનુભવ થયો. જેટલું સ્વસંવેદન થયું તેમાં સ્વજ્ઞાન વિશુદ્ધતાનો અંશ થતાં થયું. સર્વશપણું આત્મામાંથી પ્રગટશે-એમ શ્રદ્ધાએ કબૂલ કર્યું. વળી સર્વ જ્ઞાનના પ્રતીતિભાવમાંથી આનંદ વધ્યો. પ્રતીતિ હતી ને આનંદ વધ્યો, જ્ઞાનની અને પકડવાની તાકાત વધવા માંડી. ચિદાનંદ આત્મા છે, તેના ગુણોની પ્રતીતિ થવાથી મોક્ષ થાય છે. પ્રથમ સર્વજ્ઞગુણથી શરૂઆત કરી છે. આત્મા અખંડ જ્ઞાનસ્વરૂપ છે, તેની પ્રતીતિમાં દઢતા થતાં જ્ઞાન નિર્મળ થયું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com