________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧૮]
[ ૧૦૭ જીવ પોતાના પ્રાણથી જીવે છે છતાં મેં તેને જીવાડ્યો-એમ અજ્ઞાની માને છે. આવો મિથ્યાદષ્ટિ જીવ ગમે તેટલાં વ્રત-તપ કરે તોપણ વૃથા છે. કોણ કોને મારે ને કોણ કોને બચાવે ? વળી કોણ કોને સમજાવે ? જીવ પોતે સમજનાર છે, તેથી તેને સમજાવવાનું રહેતું નથી ને જડમાં જ્ઞાન નથી તેથી તેને સમજાવવાનું રહેતું નથી. અજ્ઞાનીને લાગે છે કે વાણીને લીધે હું સમજું છું, પણ દરેક જીવ પોતાથી સમજે છે-એમ તે સમજતો નથી.
અજ્ઞાની માને છે કે પરની વ્યવસ્થા હું કરી શકું છું. તેને નવતત્ત્વની ખબર નથી. અજીવ સ્વયંસિદ્ધ તત્ત્વ છે, તેને જીવ રાખી શકે? ના. જે હોય તેને રખાય નહિ ને જે ન હોય તેને રખાય નહિ. અજ્ઞાની પર વસ્તુને પોતાની જાણે છે ને પોતાને પર માને છે. પુસ્તકથી જ્ઞાન માને, વાણીથી જ્ઞાન માને, તેમ માનનાર પોતાને પર માને છે.
પોતે સર્વજ્ઞશક્તિવાળો જીવ છે, છતાં પર મારા ને હું એનો, - એ માન્યતામાં રોકાઈ ગયો છે. શરીર, મન, વાણી રૂપી છે ને હું જ્ઞાનસ્વરૂપ અરૂપી છું—એવી પ્રતીતિ આવતી નથી. પરથી મને ખ્યાલ આવ્યો ને હું તેને મદદ કરું-આવી ભ્રમણાથી રાગમાં રોકાઈ ગયો. જે દયા-દાનાદિની વૃત્તિ ઊઠે છે તે મારા સ્વભાવમાંથી આવે છે–એમ માને છે, પર વસ્તુને પોતારૂપ જાણે છે ને પોતાને પર જાણે છે, એમ માનવાથી જે જ્ઞાન સર્વશક્તિવાળું હતું તેમાં (પર્યાયમાં) અજ્ઞાનરૂપ વિકાર થયો. પરથી પોતાને લાભ-નુકશાન માન્યું ને પોતાથી પારને લાભ-નુકશાન માન્યું, તે પોતાના જ્ઞાનમાં વિકાર થયો.
એ જ પ્રમાણે જીવન દર્શનગુણ છે. પરવસ્તુને મારી કરી દેખે છે, વળી આંખથી દેખાય એમ માને છે, પણ પોતાથી દેખાય છે-એમ માનતો નથી. જેટલા પરવસ્તુના ભેદ છે તે સર્વને પોતારૂપ કરી દેખે છે. આપણે ધ્યાન રાખીએ તો છોકરા સરખા ભણે-એમ માને છે. તેની પર્યાય તેના કાળે થશે તેમાં જીવનો રાગ નિમિત્ત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com