________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ ]
[ શ્રી અનુભવ પ્રકાશ ધૂળ છે ને સોનું તો સોનું છે; તેમ કર્મ માટી છે ને આત્મા ચિદાનંદ અરૂપી ગુપ્ત છે. આત્મા અનાદિ કાળથી કર્મમાં ગુપ્ત છે, અનાદિથી જ્ઞાનાનંદ સ્વભાવને ચૂકીને પર્યાયમાં સંસારનો ભેખ ધર્યો છે તે ઔદિયકભાવ છે, તે ભાવ સ્વતત્ત્વ છે. કર્મે તે કરાવ્યો નથી. આત્મામાં ભ્રાંતિ, વિકાર, દયા-દાનાદિના ભાવ થાય છે તે અરૂપી સ્વતત્ત્વ છે. તે જીવની પર્યાયમાં થાય છે, કર્મને લીધે તે થતા નથી, કર્મ નિમિત્તમાત્ર છે. સ્વનો વેપાર ચૂકીને પરના સંગે અશુદ્ધ વેપાર ઊભો કર્યો. અશુદ્ધ ઉપયોગમાં સંસારભાવ છે, ઝેરભાવ છે, આત્માના અમૃતથી ઊલટો ભાવ છે. તે અશુદ્ધતા કેવી રીતે લાગી છે તે કહીએ છીએ.
વિકારી પર્યાય ક્ષણિક ઉપાધિ છે, તેને પોતાનું સ્વરૂપ માન્યું છે. જડ ઇંદ્રિયો પાંચ છે, તે મારી છે ને હું તેનો સ્વામી છું, ઇન્દ્રિયોની ક્રિયા હું કરી શકું છું–એમ માને છે. મન જડ છે તેને પોતાનું માને છે, વાણી જડ છે છતાં હું વાણી બોલી શકું છું એમ માની વચનને પોતાનું સ્વરૂપ માને છે. મનુષ્ય આદિ ગતિને પોતાની માને છે, કર્મ-નોકર્મને પોતાનાં માને છે, ધર્મ, અધર્મ, અકાશ, કાળ, પુદ્દગલ ને અન્ય જીવ આદિ જેટલી ૫૨વસ્તુ છે તે સર્વને પોતાની કરી જાણે છે. દેવ-ગુરુ અન્ય જીવ છે, પોતાથી જુદા છે. સ્ત્રી તથા કુટુંબના માણસના આત્મા અમને અનુકૂળ છે, દેવ-ગુરુ અમને તારી દેશે ને શાસ્ત્ર અમને જ્ઞાન આપશે ”–એમ અજ્ઞાની માને છે. શાસ્ત્ર જડ છે તેનાથી જ્ઞાન માને છે પણ પોતે જાણનાર છે માટે પોતાથી જ્ઞાન થાય છે તેમ માનતો નથી. પર વસ્તુથી લાભ થાય એમ માનનાર ૫૨ને પોતાની વસ્તુ માને છે, તે મિથ્યાદષ્ટિ છે. શરીરને સારું રાખવું, વચનનો સદુપયોગ કરવો એમ માને છે. વચનથી ક્રોધ કે ક્ષમા થતા નથી, કારણ કે વચન જડ છે, છતાં તે બધાને પોતાથી એકમેક માને છે.
(
આત્મા પોતે જીવતો છે. તેને જીવાડવો શું મારવો શું ને મારવો શું? શરીર, વાણી અચેતન-મરી ગયેલાં છે. તેને મારવાં શા? સામો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com