________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧૭]
[ ૧૦૩ તેની પાસે પણ દીનતા કરે, પોતાનું નિધાન ભૂલ્યો છે. પોતાના ચિદાનંદ સ્વભાવની અંતર રુચિ કરે, તો નિધાન પોતા પાસે છે. નજીકનું નિજપદ ન સંભાળ્યું તેથી તે દુઃખી થયો. અજ્ઞાની માને છે કે પુણ્ય કરીએ તો પૈસા મળે ને તેથી સુખી થઈએ, પણ સ્વભાવમાં સુખ છે, એમ તે માનતો નથી, તેથી દુઃખી થયો છે.
જેમ ચાંપા નામના ગોવાળ ધતૂરો પીધો ને ગાંડો થયો ત્યારે “હું ચાપો નથી,' એમ માનવા લાગ્યો. પછી તે પોતાને ઘેર જઈ બૂમ મારે છે કે ચાંપો ઘરે છે? ત્યારે તેની સ્ત્રીએ કહ્યું કે તું કોણ છે? ત્યારે તે ચેત્યો કે હું ચાંપો છું. તેમ અજ્ઞાની બહારમાં સુખ માગે છે. ક્યાંય શાંતિ મળે? ગુરુએ કહ્યું કે તારામાં સુખ છે, તારું નિધાન તારી પાસે છે, બહાર શોધવા જવું પડે તેમ નથી. ચિદાનંદની શક્તિનો ભંડાર તું છે, તેનાં ગાણાં દિવ્યધ્વનિથી પૂરા ગવાય તેમ નથી. તેને પામે તે સુખી થાય. કયાં સુધી કહીએ ? વસ્તુ તો મહિમાની ખાણ છે. આત્મા પોતે કદી કરમાણો નથી, એક પણ શક્તિ મરી ગઈ નથી. વસ્તુ તો એવી ને એવી પડી છે. વળી પોતાનું પદ અનુપમ છે, એવું પોતાનું રાજ્ય છે, સ્વાભાવિક સુખનો કંદ છે, વળી આત્મા ઇન્દ્રિયોથી ને રાગથી જણાય તેવો નથી. પોતાથી જણાય તેવો નથી, પોતાથી જણાય તેવો છે. પોતાનું તેજ મર્યાદા વિનાનું છે. સ્વભાવને મર્યાદા નથી, તે અનંત મહિમાનો ધરનાર છે, પણ અજ્ઞાની જીવ વિષયવાસના, કામ, ક્રોધ વગેરેમાં સ્વપણું માની આનંદ માને છે, પણ ત્યાં દુઃખ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com