________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧૭]
[ ૧૦૧ સ્વભાવ છે. પર વસ્તુ મારામાં નથી. પોતે જ્ઞાન જ છે, બીજી ચીજનો પોતામાં પ્રવેશ નથી. કર્મ વગેરે બીજી ચીજો ભાસે છે ત્યાં પણ પોતાનું જ્ઞાન ભાસે છે. આત્મા ચિદાનંદ છે, તેને સાચું જાણી સદા સુખી થાય. કોઈ પણ પરચીજ જણાય તે બધો વ્યવહાર છે. જ્ઞાનસ્વભાવને નિશ્ચયથી જગતની ખબર નથી. નિશ્ચયથી જગત જ્ઞાનમાં નથી, કેમકે નિશ્ચયથી જગત જ્ઞાનમાં આવે તો જગત અને જ્ઞાન એક થઈ જાય પણ એમ નથી. જગત છે એવું જ્ઞાન જ્ઞાનમાં આવ્યું. સ્વ-પરપ્રકાશક સામર્થ્ય છે તે પોતાનું છે. પરને જાણવું તે વ્યવહાર છે. સ્વભાવ અને સ્વભાવવાની સ્વ-પરપ્રકાશક સ્વભાવ ફૂલ અને સુગંધની જેમ એકમેક છે. જો સાચું જાણે તો સદા સુખી થાય.
આ આત્મા સુખ માટે અનેક ઉપાય કરે છે. જેમ ભિખારી રોટલાનો ટુકડો માગવા ઘેરઘેર ફરે છે તેમ વેપારી દેશ-પરદેશ ફરે છે. વળી પૈસા કમાણા તેમાંથી વ્યાજ આવશે, તેથી હવે નિરાંતે ધર્મ થશે એમ માને છે. મકાન કર્યા, દાગીના કર્યા વગેરે અમોએ અમારી કમાણીથી કર્યો એમ માને છે, પણ લક્ષ્મી પૂર્વ-પુણ્યના કારણે મળે છેએવી તેને ખબર નથી. અજ્ઞાની લક્ષ્મીમાં સુખ માને છે. આત્માની રુચિ છોડી જગતનો ભિખારી લક્ષ્મીની કમાણીમાં સુખ માને છે. પૈસા ભેગા થાય ત્યાં હું પહોળો ને શેરી સાંકડી-એમ માની અભિમાન કરે છે. આત્મા આનંદસ્વરૂપ છે, તેની ઓળખાણ કરતો નથી, પણ બૈરાંછોકરાં, મકાન ને મહેલમાં સુખ માને છે. વળી પૈસા માટે ઘણાં દુઃખ સહન કરે, પરદેશમાં જાય, ટાઈમના અભાવે એક ટંક ખાય, નાવાનાં ઠેકાણાં ન હોય વગેરે દુ:ખ સહન કરે છે, પણ પોતાના આત્માના સુખ માટે કાંઈ કરતો નથી. પોતે મોટી ઉંમરનો થાય તોપણ નવરો ન થાય. ભગવાન આત્માને ઓળખતો નથી, તેને જાણે તો સુખી થાય. જેમ કોઈ મનુષ્યની ગાંસડીમાં લાલ મણિ છે, તે બધાં ઊંચાં રત્ન છે. જો ગાંસડી ખોલીને દેખે તો સુખી થાય. તેમ આત્મા જ્ઞાન, દર્શન વગેરે ગુણોની ગાંસડી છે, પણ મિથ્યાભ્રાંતિ તથા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com