________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૯૭
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧૬] પછી નજરબંધી વડે કાષ્ઠના રાજાને દરબારમાં બેસાડ્યો, તેથી નજરબંધીથી બધાને તે સાચો લાગ્યો. જ્યારે કોઈ રાજાને પૂછે ત્યારે તે નજરબંધી માણસ જવાબ આપે, અને લોક જાણે કે રાજા બોલે છે. એવું ચરિત્ર નજરબંધીથી તેણે કર્યું. ત્યાં એક મનુષ્ય જંગલની બૂટી માથા ઉપર ટાંગી આવ્યો. તે બૂટ્ટીના બળથી તેની દષ્ટિ બંધાણી નહિ; ત્યારે તે મનુષ્ય લોકોને કહેવા લાગ્યો કે અરે, કુબુદ્ધિજન! આ કાષ્ઠનું પૂતળું પ્રત્યક્ષ દેખાય છે, છતાં તમે તેને સાચો રાજા જાણી લેવો છો ! ધિક્કાર છે... તમારી એવી સમજણને! તેમ આ સર્વ સંસારી જીવોની દષ્ટિ ઊંધી માન્યતાથી બંધાણી છે, પરમાં સાવધાની કરી તેને સેવે છે. ભગવાનની પ્રતિમાની સેવા કરશું તો કલ્યાણ થશે- એમ માને છે. ભગવાન આત્મા પોતે છે, તેને છોડી પરની સેવા કરે ને ધર્મ માની તેને સેવે છે. પરમાં ચેતનનો અંશ નથી, સાક્ષાત ભગવાનમાં પણ પોતાનો અંશ નથી. હું જ્ઞાતા-દષ્ટા છું- એવું બૂઢી રૂપી જ્ઞાન જેણે પ્રગટ કર્યું તે જાણે છે કે શરીર, વિકાર, પુણ્ય-પાપ વગેરે બધું અચેતન છે. તેમાં પોતાપણું સંસારી કુબુદ્ધિ માને છે ને દુઃખ સેવે છે. તે સમજણને ધિક્કાર છે ! જૂઠું માની દુ:ખદાયક હુઠને સુખદાયક જાણી સેવે છે, પણ તેને સુખ થાય નહિ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com