SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અનુભવ પ્રકાશ ૭૯ મળ્યું, તો પછી શા માટે અનાદિના ભવસંતાનની બાધાના કરનાર પરભાવને સેવીએ? જેનાથી આ અખંડિત, અનાકલ, અવિનાશી, અનુપમ (અને) અતુલ આનંદ થાય તે જ ભાવ કરીએ જે ભાવને મનોહર જાણી મોડું કરે છે તે પોતાના આત્માને જૂઠી અવિધાના વિનોદ વડે ઠગે છે. સકલ જગતચરિત્ર જૂઠું જ બન્યું છે, તે મોથી જાણતો નથી. જો સ્વરસસેવન (કરે ) તો પરપ્રીતિની રીતિ પંચ પણ ન ધારે, (અને) અનંતમહિમાભંડારને જ્ઞાનચેતનામાં પોતાપણે (પોતારૂપ) અનુભવે. જે જે ઉપયોગ ઊઠે છે તે હું છું એવો નિશ્ચય ભાવનામાં કરે તો તે તરે ને તરે જ. અનાદિનો વિચાર કરે, અનાદિથી પરમાં પોતાને જાણી દુઃખ સહ્યું. હવે શ્રી ગુરુએ એવો ઉપદેશ કહ્યો છે તેને સત્ય કરી માનતાં જ શ્રદ્ધાથી મુક્તિનો નાથ માટે ધન્ય છે સદ્દગુરુને કે જેમણે ભવગર્ભમાંથી નીકળવાનો ઉપાય બતાવ્યો. તેથી શ્રી ગુરુના જેવા કોઈ ઉપકારી નથી. એમ જાણી શ્રીગુરુની વચનપ્રતીતિથી પાર થવું. જેટલો અનુરાગ વિષયોમાં કરે છે, મિત્ર પુત્ર, ભાર્યા, ધન, શરીરમાં કરે છે તેટલી રુચિ, શ્રદ્ધા, પ્રતીતિભાવ, સ્વરૂપમાં તથા પંચપરમગુરૂમાં કરે તો મુક્તિ અતિસુગમ થાય. * પંચપરમગુરુનો રાગ પણએવો છે-જેમ સંધ્યાની લાલાશ સૂર્યની અસ્તતાનુ કારણ છે, પ્રભાતની સંધ્યાની લાલાશ સૂર્યોદયને કરે છે તેમ વિવિધ (પંચપ્રકારના) થાય છે. ભૈયા જગવાસી – ઉદાસી હવૈ કે જગત સોં, એક છ મહીના ઉપદેશ મેરો માનુ રે; ઔર સંકલ્પવિકલ્પક વિકાર તજિ, ઐઠિકે એકાન્તમન એક ઠૌર આનું રે. તેરો ઘટ સર તોમેં તૂ હી હૈ કમલ તાકે, તૂહીં મધુકર હવે સુવાસ પહિચાન રે; પ્રાપતિ ન હૈ હૈ કછુ એસી – વિચારતુ હૈ, સહી હવૈ હૈ પ્રાપતિ સરૂપ યોહી જાન રે. ૩ સમયસારનાટક, અજીવઠાર. જૈસી ભક્તિ હરામમેં તૈસી જિનમેં હોય; ભેદજ્ઞાતમેં સહજલહિ પરમાતમ પદ સોય. ૨. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008207
Book TitleAnubhav Prakash
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size691 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy