SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮) અનુભવ પ્રકાશ પરમ ગુરુ વિના, શરીરાદિનો રાગ કેવળજ્ઞાનની અસ્તતાનું કારણ છે, (અ) પંચપરમગુરુનો રાગ કેવળજ્ઞાનના ઉદયનું કારણ છે. માટે વિશેષપણે પરમ ધર્મના દાતા (પ્રત્યે) પરમ ધર્મના અનુભવ (પ્રત્યે) રાગ સુખદાયક છે. અર્થ (લક્ષ્મી) અનંત અનર્થને કરે છે, તે કોઈ અર્થની નથી; અર્થ તો તે જ કે જે પરમાર્થને સાધે. તેના દ્વારા કામથી શું કામ? નિજ કામનાથી કામ, તે જ સુકામને સુધારે. મિથ્યારૂપ ધર્મ અનંત સંસારને કરે, તે ધર્મ શાનો? સર્વજ્ઞપ્રણીત નિશ્ચયનિજધર્મ છે, વ્યવહારરત્નત્રયરૂપ કારણ છે. મોક્ષ તે જ કે જે ફરી કર્મ ન બાંધે, (માટે) આમ વિચારવું કે જેવી રીતે દીપકને મંદિરમાં ધરવાથી પ્રકાશ થાય તો સર્વ સૂઝ, એમ જ્ઞાનીને જ્ઞાનપ્રકાશથી સર્વ સૂઝ, કેવી રીતે? જ્ઞાન વડે વિચારે-શરીરમાં ચેતન છે. દષ્ટિદ્વારથી દેખે છે, જ્ઞાનદ્વારથી જાણે છે. પોતાના ઉપયોગ વડ પોતે ચેતન છું. પોતે એવું જાણે કે દેહમાં દેહને દેખનાર મારું સ્વરૂપ ચેતનરૂપ છે. તો જડને હલાવે છે, ચેતનપ્રેરક છે. અચેતન અનુપયોગી જડ દેખતું નથી, જાણતું નથી એ તો પ્રસિદ્ધ છે. જે શરીર દેખતું, જાણતું હોય તો જ્યારે જીવ ગત્યંતર થાય છે ત્યારે શરીર કેમ દેખતું નથી ? માટે આ દેખવા-જાણવા વડે પોતાને ચેતનરૂપ પ્રત્યક્ષ બરાબર નિશ્ચય કરી, સ્વરૂપને ચેતન માની, અચેતનનું અભિમાન તજવું (તે) મોક્ષનું મૂળ છે. શરીરવાસનાને ત્યાગીને પોતાનું સ્વરૂપ અવગાઢ કરી ચેતનસ્વરૂપ કરી (ચેતનસ્વરૂપપણે) ભાવવું, ઉજ્જડને વસ્તી માને છે (અને) ચેતનવસ્તીને ઉજ્જડ માને છે, એવી ભૂલ મટાડી તારી ચેતનાવતી શાશ્વત છે ત્યાં વસે તો પોતાનું અનંતગુણનિધાન ન લુટાવે. નિજધનનો ધની પરમ શાહુ થાય, ત્યારે અનંતસુખવ્યાપારમાં અવિનાશી નફો થાય. અનાદિથી પરમાં પોતાને માન્યો, પરને ગ્રહણ કરતાં કરતાં પરવસ્તુનો ચોર થયો. જગતમાં (જન્માદિના) ૧. આ કથન નિમિત્તથી છે. નિમિત્તથી કથન કરીને દેખનાર, જાણનાર પોતે ચેતનરૂપ છે એમ નક્કી કરે છે. ખરેખર તો જડ જડને હલાવે છે, ચેતન જડને હલાવતો નથી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008207
Book TitleAnubhav Prakash
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size691 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy