________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૭૨] પર્યાય જુદી નથી વા પર્યાયથી દ્રવ્ય જુદું નથી.
હવે કહે છે-“બન્ને નયોરૂપી બને ચક્ષુઓથી જોતાં દ્રવ્યસામાન્ય તથા દ્રવ્યના વિશેષો બન્ને જણાય છે તેથી દ્રવ્ય અનન્ય તેમ જ અન્ય-અન્ય બને ભાસે છે.' વસ્તુ પોતે ત્રિકાળ ધ્રુવ પણ છે અને વિશેષ વર્તમાન પર્યાય પણ છે એમ બન્ને ભાસે છે. આવું દ્રવ્ય-પર્યાયનું સ્વરૂપ સમજવાની ફુરસદ લે નહિ તેને મનુષ્યપણું ચાલ્યું જાય ! કેમકે મનુષ્યપણાનો તો જે કાળ છે તે જ છે. હવે એમાં પોતાની–દ્રવ્યની સામાન્ય-વિશેષ-શક્તિને જો પરથી જાદી સંભાળી નહિ ને પરને લીધે મારામાં કાંઈક ફેરફાર થાય છે વા મારે લીધે પરમાં કાંઈક ફેરફાર થાય છે એમ માની પ્રવર્ચો તો પ્રભુ! તારું પરિભ્રમણ નહિ મટે; તારા ભવભ્રમણનું ચક્ર વિપરીત દષ્ટિને લઈને નહિ મટે.
દિવ્ય દ્રવ્યાર્થિકનયરૂપી દિવ્ય ચક્ષુના, દિવ્ય દેદાર દેખાડનાર, દિવ્ય જ્ઞાનધારી દિવ્ય પુરુષ શ્રી કહાનગુરુદેવનો જય હો.. વિજય હો. ત્રિકાલ જયવંત હો...
Please inform us of any errors on rajesh@AtmaDharma.com