________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪ ] દયા કરવી, દાન કરવું ને પ્રતિક્રમણ કરવું ને સામાયિક કરવી ને ઉપવાસ કરવા ને ચોવિહાર કરવા ઇત્યાદિ ક્રિયાકાંડમાં તેને માની લીધો છે. બહારમાં વ્રત કરવાં તે સંવર અને તપ-ઉપવાસ કરવા નિર્જરાએમ ધર્મ માની લીધો છે. અરેરે! કયાંનું કયાં માન્યું પ્રભુ! તેં? પરમાત્માએ કહેલો દ્રવ્યનો ને પર્યાયનો સ્વભાવ તો અલૌકિક છે. અહીં કહે છે–ભલે પર્યાયથી ફેર માલૂમ પડે તેથી અન્યપણું ભાસે છે પણ દ્રવ્યથી તો અનન્યપણું છે કેમકે દ્રવ્ય તો તે તે પર્યાયોમાં તેનું તે જ છે.
કોઈ એક અબજોપતિ અહીં ખમા-ખમાં થતો હોય, ગાદી પર બેઠો હોય અને પચીસ-પચાસ નોકરો હોય તે ખમા-ખમા કહેતા હોય, પણ ફૂ થઈ જાય, - મરી જાય તો મરીને નરકે જાય. જાઓ, ત્યાં પર્યાય અપેક્ષાએ અન્ય-અન્યપણું છે, ક્ષણમાં અનેરી પર્યાય, ક્ષણમાં અનેરી પર્યાય-એમ અનેરી પર્યાયપણું છે. છતાં આત્માની સાથે તે અનેરી (જુદી) છે એમ નથી. આત્મા સાથે તો તે અનન્ય જ છે, કેમકે આત્મા જ તેમાં વર્તે છે. આ પ્રમાણે પર્યાયથી જાએ તો દ્રવ્ય અન્ય-અન્ય ભાસે છે, પણ દ્રવ્યથી જાએ તો અનન્ય છે કેમકે દ્રવ્યથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com