________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૭૧] ફેર પડશે અને માટે લઈને પરમાં કાંઈક ફરક પડશે એ દષ્ટિ સમ્યગ્દષ્ટિની નથી. ભાઈ ! વાત તો આમ થોડી છે પણ તેની ગંભીરતા અપાર છે. ટૂંકી વાતમાં ઘણું ભર્યું છે.
હવે કહે છે-“દ્રવ્યનું સ્વરૂપ જ આવું ઉભયાત્મક હોવાથી દ્રવ્યના અનન્યપણામાં અને અન્યપણામાં વિરોધ નથી.' દ્રવ્ય સામાન્ય-વિશેષરૂપે જ છે તેથી તે તે પર્યાય (વિશેષ) પહેલાં ન હતી અને થઈ છે તે અપેક્ષાએ અન્ય-અન્ય છે, પરંતુ તે તે પર્યાયમાં દ્રવ્ય તન્મય છે તેથી અનન્ય છે. બેયમાં કાંઈ વિરોધ નથી. આ પ્રમાણે અન્યપણું પણ કહેવાય છે અને અનન્યપણું પણ કહેવાય છે. મનુષ્યગતિ વખતે સિદ્ધગતિ આદિ નથી અને સિદ્ધપદના કાળે મનુષ્યગતિ આદિ નથી તેથી અન્ય-અન્ય કહેવાય છે અને તે તે કાળે દ્રવ્ય તે તે પર્યાયમાં અનન્ય છે માટે અનન્ય પણ કહેવાય છેઆ પ્રમાણે દ્રવ્યના અનન્યપણામાં અને અન્યપણામાં કાંઈ વિરોધ નથી. ' હવે દાખલો આપી કહે છે-“ જેમ કે, મરીચિ અને મહાવીરસ્વામીનું જીવસામાન્યની અપેક્ષાએ અનન્યપણું અને જીવન વિશેષોની અપેક્ષાએ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com