________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૭૨] અન્યપણું હોવામાં કોઈ પ્રકારનો વિરોધ નથી.” અહાહા...! કયાં મરીચિની પર્યાય ને કયાં ભગવાન મહાવીરની પર્યાય. જીવની પર્યાયોની અપેક્ષાએ જોતાં ત્યાં અન્ય-અન્યપણું ભાસે છે. છતાં એ અવસ્થાઓમાં જીવ તો એનો એ જ છે. માટે દ્રવ્યની અપેક્ષા–જીવસામાન્યની અપેક્ષાએ અનન્યપણું ભાસે છે. આ પ્રમાણે અન્યપણું અને અનન્યપણું વસ્તુના સ્વરૂપની સ્થિતિમાં જ છે, તેમાં કોઈ પ્રકારનો વિરોધ નથી. તથા તેમાં કોઈ પરની અપેક્ષા છે એમ પણ નથી.
દ્રવ્યાર્થિકનયરૂપી એક ચક્ષુથી જોતાં દ્રવ્યસામાન્ય જ જણાય છે તેથી દ્રવ્ય અનન્ય અર્થાત્ તેનું તે જ ભાસે છે.” જુઓ, પર્યાયને જોનારી આંખને બંધ કરીને દ્રવ્યને જોવાની આંખ ઉઘાડે તો એક દ્રવ્યસામાન્ય જ જણાય છે અને તેથી દ્રવ્ય અનન્ય અર્થાત્ તેનું તે જ ભાસે છે. દ્રવ્યાર્થિકનયથી તો દ્રવ્ય તેનું તે જ ભાસે છે.
“અને પર્યાયાર્થિકનારૂપી બીજા એક ચક્ષુથી જતાં દ્રવ્યના પર્યાયોરૂપી વિશેષો જણાય છે. ત્યારે વિશેષમાં તફાવત-મોટો તફાવત-જણાય છે. તેથી દ્રવ્ય અન્ય-અન્ય ભાસે છે.” જુઓ, દાખલામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com