________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ 0 ]
વસ્તુસ્વરૂપ જ નથી. આત્માને પોતાના સામાન્ય અને વિશેષ માટે કોઈ પરની-તીર્થંકરની પણ-અપેક્ષા નથી. તો શાસ્ત્રમાં તો આવે છે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સદ્દગુરુના ચરણકમળના પ્રસાદથી થાય છે?
સમાધાનઃ- હા, એવી ભાષા તો બહુ આવે છે, પણ એ તો ત્યાં નિમિત્ત કેવું હોય એટલું જણાવ્યું છે. બાકી સમ્યગ્દર્શનની પર્યાય વિશેષ છે. સામાન્ય પોતે ધ્રુવ છે અને સમ્યગ્દર્શન વિશેષપર્યાય છે. તે વિશેષપણું તેનું પોતાનું જ સ્વરૂપ છે અને તેથી કોઈ ૫૨ની અપેક્ષાથી થયું છે એમ નથી. ગુરુની પ્રસાદીથી, વા કર્મનો ઉઘાડ થયો માટે વા દર્શનમોહનો અભાવ થયો માટે તે સમ્યગ્દર્શનની પર્યાય થઈ છે એમ નથી; જો એમ હોય તો ત્યાં વિશેષનું સામર્થ્યપણું જે પોતાનું છે તે રહે નહિ.
તત્ત્વાર્થસૂત્રમાં આવે છે કે-‘ તમાવ: પરિણામ:' પરિણામ તેનો (દ્રવ્યનો ) સ્વભાવ છે. પરિણમન દ્રવ્યનો સ્વભાવ જ છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવ પોતાના સામાન્ય અને વિશેષ, સિવાય ૫૨ પદાર્થથી અંતરમાં અત્યંત ઉદાસ છે. કોઈ પરની અપેક્ષાએ મારામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com