________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૬૯] પ્રશ્ન:- તો કહેવામાં તો એમ આવે છે કે આકાશ ન હોય તો (સર્વ દ્રવ્યો) રહે કયાં?
સમાધાન - ભાઈ ! એ તો નિમિત્તની કથની છે. એમ પણ આવે છે ને કે જે આકાશ પરદ્રવ્યોનો આધાર હોય તો આકાશનો આધાર કોણ ? અને પરિણમનમાં દરેક દ્રવ્યને કાળનું નિમિત્ત છે તો કાળ દ્રવ્યના પરિણમનમાં કોણ ? ભાઈ ! એ તો નિમિત્તપણું સિદ્ધ કરવું હોય ત્યારે એમ કહેવાય કે આકાશ ન હોય તો (સૌ દ્રવ્ય) રહે કયાં ? પણ એથી કરીને પરદ્રવ્યની પર્યાયમાં કોઈ પણ ઘાલમેલ કે ફેરફાર કોઈ અદ્રવ્યથી થાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. આકરી વાત, બાપા!
ચૌદ બ્રહ્માંડમાં અનંતા દ્રવ્યો છે. પ્રત્યેક દ્રવ્ય પોતાથી જ સામાન્ય-વિશેષપણે રહેલું છે. હવે સામાન્ય જે અક્રિય ધ્રુવ તેને તો પરની અપેક્ષા નથી પણ વિશેષ જેમાં પલટવારૂપ અનેક ભિન્ન ભિન્ન અવસ્થા થાય તેને તો પરની અપેક્ષા હોય ને? તો કહે છે-ના; વિશેષ પણ દ્રવ્યનું સહુજ સ્વરૂપ જ છે. જે પલટવું થાય છે તે એનો પોતાનો સ્વભાવ જ છે. વિશેષપણું પરને લઈને થાય એવું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com