________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૬૮] કોઈ પણ દ્રવ્યની-આત્માની કે પુગલની, નરકના જીવની, નિગોદના જીવની કે કોઈ સ્કંધની-કોઈ પણ પર્યાયનો વિશેષપણે થવાનો તેનો પોતાનો સ્વભાવ છે. માટે તેમાં જે વિશેષપણું લાગે છે તે જો કોઈ પરને-સંયોગને લઈને લાગે છે તો તે દૃષ્ટિ વિપરીત છે. અહા ! આવી વાત! અજ્ઞાનીના ગળે ઉતરવી મુશ્કેલ છે. પણ શું થાય? શબ્દો તો સારી છે. પણ ભાવ ગંભીર છે.
અહા ! વસ્તુનું અસ્તિત્વ અનંત પરપદાર્થોથી ભિન્ન છે. દરેક દ્રવ્ય એક ક્ષેત્રે રહેવા છતાં ભિન્ન ભિન્ન છે. આકાશના એક પ્રદેશમાં છયે દ્રવ્ય છે. ભલે આકાશના એક પ્રદેશમાં આખો આત્મા નથી, પણ અસંખ્ય પ્રદેશનો ભાગ એક આકાશના પ્રદેશમાં છે. એક જીવના અસંખ્ય પ્રદેશ છે. તેથી એક જીવ એક પ્રદેશમાં ન રહી શકે, પણ એક જીવ આકાશના અસંખ્ય પ્રદેશમાં રહે, છતાં કહે છે કે-જીવ જે પોતાના અસંખ્ય પ્રદેશમાં રહેલો છે તેને આકાશની અપેક્ષા નથી. ગંભીર વાત, ભાઈ ! (ખરેખર તો જીવના પ્રદેશો આકાશના પ્રદેશોને અડતાય નથી).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com