________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૬૭] તે તેનું સ્વરૂપ છે, વિશેષ કોઈ પરને લઈને થાય છે એમ નથી. દરેક દ્રવ્ય સામાન્ય-વિશેષસ્વરૂપ છે, એટલે કે સામાન્ય છે એ તો ધ્રુવપણે છે પણ વિશેષમાં-પર્યાયમાં બદલો થાય છે; હવે વિશેષમાંપર્યાયમાં બદલો થાય છે તો એમાં કોઈ પરની અપેક્ષા છે કે નહિ? તો કહે છે કે-ના; કેમકે પર્યાયમાં બદલો થવો તે તેનો-પર્યાયનો સ્વભાવ જ છે. તેથી સ્વદ્રવ્યની પર્યાયમાં કોઈ અન્યદ્રવ્યની અપેક્ષા છે જ નહિ. આવો સિદ્ધાંત! (અજ્ઞાનીને) બેસવો ભારે કઠણ છે. કહે છે–આખા વિશ્વમાં-ચૌદ બ્રહ્માંડમાંઅનંત અનંત દ્રવ્યો પ્રત્યેક સામાન્ય-વિશેષપણે વિરાજે છે, અને તેથી તેના વિશેષને માટે કોઈ અન્યની અપેક્ષા નથી. કોઈ કાળે કે કોઈ ક્ષેત્ર તેની અવસ્થાને પરની અપેક્ષા છે જ નહિ. એની અવસ્થા તેના કાળે સ્વતંત્ર થાય એવું જ એનું સામાન્યવિશેષ સ્વરૂપ છે.
તેથી દરેક દ્રવ્ય સામાન્યપણે-ધ્રુવપણે, જેમાં બદલવું નથી તેવું, તેનું તે જ રહે છે. તથા વિશેષપણે બદલાય પણ છે, પલટે પણ છે” અહાહા...! પલટવું એ તો એની પર્યાયનો સ્વભાવ જ છે, માટે પર્યાય કોઈ પરને લઈને પલટે છે એમ ત્રણકાળમાં નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com