________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ૧] પર્યાય પણ નથી અને વળી અહીં કહ્યું-દ્રવ્ય તે તે વિશેષોના કાળે તન્મય છે. આ તે કેવી વાત!
સમાધાન - ભાઈ ! ત્રિકાળી સામાન્યવસ્તુ જે પરમ-સ્વભાવભાવ શુદ્ધ જ્ઞાયકભાવ તેની દષ્ટિ કરાવવા કહ્યું કે તેમાં ગતિય નથી, ગુણભેદ પણ નથી અને પર્યાય પણ નથી અને અહીં તે તે વિશેષોના કાળે તેમાં દ્રવ્ય વર્તી રહ્યું છે, તે તે વિશેષો તે કાળે તે દ્રવ્યના છે એમ જ્ઞાન કરાવવા તે તે કાળે તે વિશેષોમાં તન્મય છે એમ કહ્યું. માટે જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ.
“દ્રવ્ય છે તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે તે તે વિશેષોથી અનન્ય છે.” લ્યો, આ મનુષ્યગતિનો જે પર્યાય છે તેમાં એ (-દ્રવ્ય) તન્મય છે. મનુષ્યગતિ એટલે મનુષ્યનું શરીર નહિ હોં. ગતિને યોગ્ય તેની જે પર્યાયવિશેષ છે તે મનુષ્યગતિ છે. મનુષ્યને યોગ્ય જે ગતિની યોગ્યતા છે તેમાં તે (–દ્રવ્ય) તન્મય છે. પણ પર્યાય અપેક્ષાએ તન્મય હતું. તે તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે તે તે વિશેષોથી અનન્ય છે એટલે કે જીવદ્રવ્ય તે તે કાળે વિશેષોથી અન્ય-અન્ય,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com