________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પર]. અનેરું-અનેરું છે એમ નથી. અહા ! ભગવાન કુંદકુંદાચાર્ય ભગવાનની વાણીમાં આવેલી વાત જગત સામે જાહેર કરે છે.
કહે છે–ભગવાન! તારામાં બે જ ભાગ છે – એક સામાન્ય અને બીજો વિશેષ. આ સિવાય ત્રીજો (બીજા) કોઈ દ્રવ્યનો અંશ તારામાં ત્રણકાળ ત્રણલોકમાં નથી. જેની વ્યવસ્થા અને સંભાળ માટે તું રોકાણો છે તે શરીર, વાણી, કુટુંબ આદિનો એક અંશ પણ તારામાં નથી. અહાહા...! શરીરને આમ રાખું, ને વાણી આમ બોલું, ને ખોરાક આમ સરખો લઉં ને કુટુંબનું આમ કરું ઇત્યાદિ પરદ્રવ્યની વ્યવસ્થા કરવાનો વિચાર મિથ્યા છે કેમકે એ બધી વ્યવસ્થા તારાથી થતી નથી, તું કરી શકતો નથી. છતાં ભગવાન! તું એમાં રોકાઈ ગયો–મૂર્છાઈ ગયો! તારે શું કરવું છે પ્રભુ! શું તારે રખડવું જ છે?
તો શરીરમાં વહુ ઘર્મસાધનન–એમ કહ્યું છે ને? ભાઈ! એ તો નિમિત્તની વાત કરી છે. સાધન તો રાગથી ભિન્ન પડવું એ છે. પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પરમાત્મદ્રવ્યની દષ્ટિ અને અનુભવ કરવો તે સાધન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com