________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૫૦ ]
સામાન્ય કે જે ત્રિકાળ છે તે તો અનન્ય છે. તે અન્યપણે ભાસે છે એમ નહિ, પણ અત્યારે તો સામાન્યને જોનારને પોતાના વિશેષને જોવાનું જ્ઞાન ખુલ્યું છે, ખીલ્યું છે. તે પર્યાયને જોવાના જ્ઞાનથી જોતાં વિશેષોને જોનારા અને સામાન્યને નહિ જોનારા એ જીવોને તે અન્ય-અન્ય ભાસે છે, કેમકે દ્રવ્ય તે તે વિશેષોના કાળે તેમાં તન્મય છે. અહાહા...! દ્રવ્ય જે પરમ જ્ઞાયકભાવ ૫૨મસ્વભાવભાવ છે તે, તે તે વિશેષોના કાળે તેમાં તન્મય છે. પરંતુ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, સ્ત્રી-કુટુંબ પરિવાર, બાગ, બંગલા ઇત્યાદિમાં જીવ દીય તન્મય થતો નથી, થઈ શકતો નથી. અરે ! આમ છે છતાં અજ્ઞાની જીવો અનંતકાળથી એમાં જ સલવાઈ પડયા છે! જે ચીજ તારી પર્યાયમાં પણ નથી તેને પોતાનું માની તેની સંભાળમાં હમણાં પણ તું કાળ ગુમાવે છે તો તારે શું કરવું છે પ્રભુ! તારે કયાં રહેવું છે? શું તને તારી દયા નથી આવતી ? અનંતકાળથી તો તું ચારગતિમાં રખડી રહ્યો છે.
લ્યો, હવે એકકોર એમ કહેવું કે ત્રિકાળી સામાન્યવસ્તુ જે ૫રમસ્વભાવભાવ શુદ્ધ જ્ઞાયકભાવ તેમાં તો ગતિય નથી, ગુણભેદ પણ નથી અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com