________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૯] શરીર, સ્ત્રી, કુટુંબ-પરિવાર, મકાન, પૈસો આદિની સાથે તો તન્મય પણાનો અંશ પણ નથી. કેમકે એ બધી પૃથક બાહ્ય ચીજ છે. સમજાણું કાંઈ..?
હવે આવી વાત તો બાવો થાય તો સમજાય એમ છે.
બાપુ! આત્મા (રાગાદિરહિત, દેહાદિરહિત) બાવો જ છે. ભાઈ ! તારામાં–સામાન્યમાં રાગાદિયા નથી અને ખરેખર ગતિય નથી. પરંતુ અહીં તો પર્યાયનું અસ્તિત્વ સિદ્ધ કરવું છે, કેમકે પરને લઈને એ પર્યાય છે એમ નથી. “જીવદ્રવ્યમાં રહેલા...” એમ કીધું ને? જીવની પર્યાયમાં રહેલા એમ ન કીધું, કેમકે જીવદ્રવ્ય તે તે પર્યાયમાં તન્મય છે; જીવદ્રવ્ય પોતે પર્યાયદષ્ટિએ પર્યાયમાં છે અને પર્યાયની દષ્ટિથી જોતાં અન્ય-અન્ય ભાસે છે. જીવસામાન્યથી જોતાં તેનું તે જ એટલે અનન્ય ભાસે છે અને પર્યાયથી જતાં અન્ય-અન્ય ભાસે છે. આવું છે, ભાઈ ! જન્મમરણ રહિત થવાની આવી વાત છે. વીજળીના ઝબકારે મોતી પરોવી લો તો પરોવી લો, આ તો વચ્ચે ઝબકારો આવી ગયો છે, બાકી મનુષ્યભવ અને જિનવાણીનો યોગ અતિ અતિ દુર્લભ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com