________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૮] છે અંદર? કે ઉઘાડેલા પર્યાયાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં આવે છે ત્યારે જીવદ્રવ્યમાં રહેલા
નારકપણું, તિર્યચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું-એ પર્યાયોસ્વરૂપ વિશેષોને અવલોકનારા અર્થાત્ પર્યાયોસ્વરૂપ અનેક વિશેષોને જાણનારા અને સામાન્યને નહિ અવલોકનારા” અર્થાત્ સામાન્યનું લક્ષ નથી પણ પર્યાય તરફ લક્ષ છે તેથી સામાન્યને નહિ જોનારા “એવા એ જીવોને (તે જીવદ્રવ્ય) અન્ય-અન્ય ભાસે છે.” જીવદ્રવ્યમાં તે પર્યાય અનેરી–અનેરી ભાસે છે. દેવ પર્યાય અનેરી, સિદ્ધ પર્યાય અનેરી–એમ પર્યાય અનેરી–અનેરી, અન્યઅન્ય ભાસે છે.
કારણ કે દ્રવ્ય છે તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે તે તે વિશેષોમાં અનન્ય છે-છાણાં તૃણ, પર્ણ અને કાષ્ઠમય અગ્નિની માફક.'
તે તે વિશેષ કોણ?
નારકપણું, તિર્યચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું-એ વિશેષો. “તે તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે...' જોયું? જીવદ્રવ્ય તે તે પર્યાયોમાં તે તે કાળે તન્મય છે પણ ઔદારિક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com