________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૦]. જોવાની પર્યાયઆંખ બંધ કરી દે અને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જો. અહો ! આ તો સંતોના હૃદયની કોઈ અપાર ઊંડપ છે! શું કહીએ ? જેવું ઊંડુ ભાસે છે તેવું ભાષામાં આવતું નથી. (આવી શકે નહિ). ભાઈ ! બીજા કોઈ એમ
અભિમાન કરે કે આ અમને આવડે છે, અમે આ વાંચ્યું છે, તો ગર્વ ઉતરી જાય એવું છે.
કહે છે–ભાઈ! તારી પર્યાયને જોવાની આંખ તું બંધ કરી દે. છતાં જોવાનું રહેશે તો ખરું. પર્યાયને
જ્યાં જોવાનું સર્વથા બંધ કર્યું એટલે તરત જ દ્રવ્યને જોવાનું જ્ઞાન ઉઘડ્યું. લ્યો, આ પુરુષાર્થ. આ પોતાના પુરુષાર્થ વડે ઉઘડયું છે હો. તો તે “ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે ત્યારે નારકપણું, તિર્યચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું-એ પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવસામાન્યને અવલોકનારા' ભાષા જોઈ ? પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવસામાન્યને અવલોકનારા...એટલે કે પર્યાયો પાંચ છે અને છતાં એક જીવસામાન્ય પાંચમાં રહેલો છે. બીજી ચીજ તો કોઈ પર્યાયમાં છે નહિ, તેથી દેવ-ગુરુ-શાસ્ત્ર તથા સિદ્ધોને પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com