________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ર૯] દ્રવ્યને જોવું છે ને તારે ? તો તે જાણવું પર્યાયમાં આવે છે. એથી કહે છે કે એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જો. મતલબ કે પર્યાયને જોનારો જ્ઞાનનો અંશ સર્વથા બંધ થઈ જતાં અંદરનો જ્ઞાનનો પર્યાય કે જે એકલા દ્રવ્યને જાણે છે તે ઉઘડી ગયો છે. તો તે વડે દ્રવ્યને (ભાળ) દેખ. હવે આવી વાત સાંભળવાય મળે નહિ એટલે એકાંત છે, એકાંત છે-એમ રાડો પાડે. પણ બાપુ! આ સમ્યક એકાંત છે. ભાઈ ! આ તારા ઘરની વાત છે.
સંતો કહે છે-નારકપણું, તિર્યચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું–એમ પાંચ પર્યાયો કીધી ને? એ પર્યાયોસ્વરૂપ વસ્તુને જોવાની પર્યાયની આંખ બંધ કરી દે. ગજબ વાત છે ભાઈ ! કહે છે-સિદ્ધને– સિદ્ધપર્યાયને જોવાની પર્યાય આંખને બંધ કરી દે. પોતાને વર્તમાન તો સિદ્ધપર્યાય નથી, પણ શ્રદ્ધામાં છે કે મારે સિદ્ધપર્યાય થવાની છે. તો કહે છેસિદ્ધપર્યાયને પણ જોવાની પર્યાયઆંખ બંધ કરી દે.
વંવિત્ત સંવસિદ્ધ' એમ સમયસારમાં છે ને? ત્યાં સર્વસિદ્ધોને જ્ઞાનની પર્યાયમાં સ્થાપ્યા છે. અહીં કહે છે-ભગવાન! સર્વ સિદ્ધોને જાણનારી જે પર્યાય તે પર્યાયને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com