________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૮]
વાતુ, ભાઈ ! આ તો ત્રણલોકના નાથની દિવ્ય વાણી
અહાહા...! ભગવાન! તું સામાન્ય વિશેષરૂપ છો. ત્યાં તારા વિશેષમાં પરને જાણવું એ કાંઈ છે નહિ કેમકે ત્યાં તો એ પોતાની પર્યાય જ જણાય છે. તો કહે છે–એ જે પર્યાય જણાય છે તેને જોનારું પર્યાયાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરી દે. તો હવે જ્યારે પર્યાયને જોનારું ચક્ષુ સર્વથા બંધ કર્યું તો જોનારું અન્ય કોઈ જ્ઞાનચક્ષુ રહ્યું કે નહિ? તો કહે છે કેદ્રવ્યને જોનારું જ્ઞાનચક્ષુ પ્રગટ ઉઘાડરૂપ છે. કહ્યું ને કે-એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડ જે. પર્યાયને જોનારી આંખ સર્વથા બંધ કરી છે પણ દ્રવ્યસામાન્યને જોનારું જ્ઞાન તો ઉઘડેલું જ છે. જ્યાં પર્યાયને જોવાનું સર્વથા બંધ કર્યું ત્યાં દ્રવ્યને જોવાનું જ્ઞાન ઉઘડી ગયું છે એમ કહે છે. કેમકે પોતે જાણનારો છે ને? જાણનારની પર્યાયમાં અંધારું થઈ જાય અર્થાત્ જાણવાનું જ બંધ થઈ જાય એવું તો કોઈ દિ' છે નહિ.
અહાહા...! કહે છે-પર્યાયને જોવાની આંખ સર્વથા બંધ કરી દઈને..પ્રભુ! આમ કહીને શું કહેવું છે આપને ? એમ કે શુદ્ધ ત્રિકાળી આત્મ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com